વાંકાનેરના ઢુવા પાસે નાલામાં પડી જતાં રાજકોટના યુવાનનું મૃત્યુ
મોરબીમાં ચા બનાવવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
SHARE
મોરબીમાં ચા બનાવવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ
મોરબીના વીસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગરમાં રહેતી પરણીતાને તેના પતિ સાથે ચા બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને તેને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી પરણીતાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવેલ છે અને આપઘાતના પ્રયાસના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગરમાં રહેતા મહેશભાઈ પટેલના પત્ની સોનલબેન (ઉંમર ૨૫)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં આ બનાવની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, સોનલબેન અને તેના પતિ મહેશભાઈ વચ્ચે ચા બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે તેને લાગી આવતા તેણે પોતાના જ ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને હાલમાં તે સારવાર હેઠળ છે વધુમાં મળતી માહિતી મુજબ સોનલબેન અને મહેશભાઈ બંનેના આ બીજા લગ્ન છે અને આપઘાત કરવા માટે થઈને પ્રયાસ કરનારા સોનલબેન સારવાર હેઠળ છે
મારામારીમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડયાળી પાસે સ્કાય ટચ સીરામીકમાં રહેતા સિદ્ધાર્થભાઈ નિરંજનભાઇ જગા (૨૦) ને તા. ૧૧ ના રોજ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી