મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

હવે પર્યાવરણ-દેશને થશે ફાયદો, મોરબી રેલ્વે સ્ટેશને આવ્યું પ્રથમ વખત ઇલેક્ટ્રિક રેલવે એન્જિન: અધિકારી


SHARE









હવે પર્યાવરણ-દેશને થશે ફાયદો, મોરબી રેલ્વે સ્ટેશને આવ્યું પ્રથમ વખત ઇલેક્ટ્રિક રેલવે એન્જિન: અધિકારી

મોરબી જીલ્લામાં રેલવેના ટ્રેક ઉપર ડીઝલ એન્જિન વાળી ગાડી તો છેલ્લા ઘણા વર્ષોથી દોડી રહી છે જો કે, ઇલેક્ટ્રિક રેલવે એન્જિન દોડાવવા માટે છેલ્લા ઘણા સમયથી કામ ચાલુ હતું અને તે કામ પૂરું થઈ ગયું છે ત્યારે ગઇકાલે રાતે બાર વાગ્યે મોરબીના રેલ્વે સ્ટેશને પ્રથમ વખત રેલ્વે ટ્રેક ઉપર ઇલેક્ટ્રિક રેલવે એન્જિન દોડાવીને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ ઇલેક્ટ્રિક રેલવે એન્જિન હવે રેલ્વે ટ્રેક ઉપર દોડશે તેનાથી પર્યાવરણ અને દેશને ફાયદો થશે તેવું અધિકારી જણાવ્યુ છે

મોરબી જીલ્લામાં નવલખી બંદર સુધી અને માળીયા થઈને કચ્છ સુધી ઈલેક્ટ્રિક ટ્રેન દોડાવાનું લક્ષાંક નક્કી કરીને છેલ્લા ઘણા સમયથી રેલ્વે વિભાગ દ્વારા કામ કરવામાં આવી રહયું હતું દરમ્યાન સુરેન્દ્રનગરથી મોરબી સુધી રેલ્વે ટ્રેકનું કામ પૂરું થઈ ગયું છે જેથી કરીને તેના નિરીક્ષણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ગઇકાલે શુક્રવારે રાતે બાર વાગ્યે સુરેન્દ્રનગર બાજુથી મોરબી ઇલેક્ટ્રિક રેલવે એન્જિન આવ્યું હતું અને હાલમાં ૧૧૦ની સ્પીડે આ ટ્રેન દોડાવવામાં આવી હતી આ તકે આરીના ઇન્ચાર્જ અજયભાઈ, લોકોના ઇન્ચાર્જ હિતેશભાઇ, સેફ્ટી એક્સપર્ટ એચ.એ.જુણેજા સહિતના અધિકારીઓ મોરબી રેલ્વે સ્ટેશને હાજર રહ્યા હતા અને ત્યારે અધિકારીઓએ જણાવ્યુ હતું કેપહેલા કોલસાની ટ્રેન ચાલતી હતી જેથી પર્યાવરણને નુકશાન થતું હતું ત્યાર બાદ રેલવેમાં ડીઝલ એન્જિનથી ગાડીઓ દોડાવવામાં આવી રહી છે જેના લીધે વિદેશથી ક્રૂડ મંગાવવામાં આવતા દેશનો રૂપિયો બહાર જતો હતો જો કે, ઇલેક્ટ્રિક રેલવે એન્જિનની મદદથી ટ્રેન દોડશે તેનાથી પર્યાવરણ અને દેશ બંનેને ફાયદો થશે તે નિશ્ચિત છે






Latest News