મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં આરોપી હાઇકોર્ટમાંથી જામીન મુક્ત
SHARE
મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં આરોપી હાઇકોર્ટમાંથી જામીન મુક્ત
મોરબીમાં મારવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલા આરોપીના હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલ છે
મોરબીના આરોપી મંજુબેન મેરુભાઈ ઇંદરિયાની આઈ.પી.સી. કલમ ૩૦૬ મારવા મજબૂર કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને મોરબી કોર્ટે નીદોષ છોડી દીધો હતો જેથી કરીને સમાપક્ષેથી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને આરોપી અપીલના કામે હાજર રહેલ ન હોય તેની સામે હાઈકોર્ટ દ્વારા ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું હતું અને આરોપીની ધ૨પકડ થયેલ હતી અને આરોપીના વકીલ દીલીપ આર. અગેચાણીયા મારફત જામીન મેળવવા હાઇકોર્ટમાં અરજી કરેલ હતી ત્યારે બચાવપક્ષનાં એડવોકેટ તરફેની કાયદાકીય દલીલો કરવામાં આવેલ હતી અને તમામ દલીલના અને અંતે હાઇકોર્ટે આરોપીને પ૦૦૦ ના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત કરવા માટે હુકમ કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરફે મોરબીના સીનીયર વકીલ દીલીપ આર. અગેચાણીયા તથા પ્રેરક ઓઝા રોકાયેલા હતા