વાંકાનેરમાં ગુજરાત ગૌરવ યાત્રાનો રૂટ કોઈએ બદલાવ્યો નથી: રાજભા ઝાલાની સ્પષ્ટતા
મોરબીમાં કિન્નર સમાજ દ્વારા પાંચિયા દાદાનો માંડવો યોજાયો
SHARE
મોરબીમાં કિન્નર સમાજ દ્વારા પાંચિયા દાદાનો માંડવો યોજાયો
મોરબીમાં રહેતા કિન્નર સમાજના રેખાદે પદમાદે માં દ્વારા પાંચિયા દાદાનો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આઈ માં ના સામૈયા, થાંભલી રોપણ, પંચના ભુવાશ્રીના સામૈયા અને મહાપ્રસાદ તેમજ રાતે ડાક ડમ્મરનો કાર્યક્રમ યોજાયો હતો મોરબીમાં પાંચિયા દાદાના માંડવાની આયોજન કરવામાં આવ્યું હતું અને ત્રાજપર ખાતે જયેશભાઈ ગોલતરના નિવાસ સ્થાનેથી આઈ માં ના સામૈયા કરવામાં આવ્યા હતા અને કલાલ શેરી ખાતે થાંભલી રોપણ, પંચના ભૂવાશ્રીના સામૈયા સહિતના કાર્યક્ર્મ યોજાયા હતા આ કાર્યક્રમમાં રેખાદે પદમાદે માં ની સાથે નાયક હીરાદે દિવાળીદેમા નાયક, સંગીતા દે હીરાખાદે માં, રોશનીદે ધનાદે માં, પુજાદે હીરાદે નાયક, રીંકુદે સંગીતાદે, સીમરનદે સંગીતાદે, સમાદે, વૈશાલીદે, જાન્વીદે રોશનીદે, પ્રિયંકાદે રેખાદે, શ્રદ્ધાદે પ્રિયંકાદે સહિતના જોડાયા હતા