મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના લાભાર્થે પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ સહિતના કલાકારનો કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના લાભાર્થે પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ સહિતના કલાકારનો કાર્યક્રમ યોજાશે

મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞા ચક્ષુ પુનવર્સન કેન્દ્ર આવેલ છેકે જ્યાં પ્રજ્ઞા ચક્ષુઓ રહે છે અને જુદી જુદી સંસ્થાઓમાં કામ કરીને માનભેર સ્વરોજગારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તે સંસ્થા ખાતે પ્રજ્ઞાચક્ષુઓના રહેવા માટે ૧૦૦ જેટલા ફલેટ બનાવવાનું આયોજન કરેલું હોય અને તેના ખર્ચને પહોંચી વળવા માટે હાસ્ય કલાકારોમાં શિરમોર ગણાતા શાહબુદ્દીનભાઈ રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા તેમજ સાથે લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાબરના ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં ઉપસ્થિત રહીને પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થાને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે અપીલ કરવામાં આવેલ છે.

મોરબીની ધરા ઉપર હાસ્યસમ્રાટ પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ, જીતુભાઇ દ્વારકાવાળા તથા લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા ખાસ પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ માટે તેમજ મોરબીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ૧૦૦ ફ્લેટ બનાવવવાનું જે આયોજન થઈ રહ્યું છે.તેના લાભાર્થે મોરબીની જાહેર જનતાને હાસ્યરસ તથા લોકસાહિત્ય પીરસશે.આ અનોખા ઉત્સવમાં પધારી સંસ્થાની તથા પ્રજ્ઞાચક્ષુઓની શોભામાં અભિવૃદ્ધિ કરવા સૌને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.કાર્યક્રમની સાથેસાથે અંધબાળાઓની નૃત્ય કૃતિઓ પણ લોકોને નિહાળવા મળશે.આગામી તા.૬-૧૧ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર આર્યવત સ્કૂલની બાજુમાં, મોરબી-માળિયા હાઇવે લક્ષ્મીનગર તા.જી.મોરબી ખાતે યોજાનાર ઉપરોકત સેવાકાર્યની વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૪૨૯૯ ૭૮૯૩૦ અથવા ૯૨૨૮૮ ૯૭૩૭૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News