મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના લાભાર્થે પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ સહિતના કલાકારનો કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના લાભાર્થે પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ સહિતના કલાકારનો કાર્યક્રમ યોજાશે

મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞા ચક્ષુ પુનવર્સન કેન્દ્ર આવેલ છેકે જ્યાં પ્રજ્ઞા ચક્ષુઓ રહે છે અને જુદી જુદી સંસ્થાઓમાં કામ કરીને માનભેર સ્વરોજગારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તે સંસ્થા ખાતે પ્રજ્ઞાચક્ષુઓના રહેવા માટે ૧૦૦ જેટલા ફલેટ બનાવવાનું આયોજન કરેલું હોય અને તેના ખર્ચને પહોંચી વળવા માટે હાસ્ય કલાકારોમાં શિરમોર ગણાતા શાહબુદ્દીનભાઈ રાઠોડ, જીતુભાઈ દ્વારકાવાળા તેમજ સાથે લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાબરના ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં ઉપસ્થિત રહીને પ્રજ્ઞાચક્ષુઓની સંસ્થાને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે અપીલ કરવામાં આવેલ છે.

મોરબીની ધરા ઉપર હાસ્યસમ્રાટ પદ્મશ્રી શાહબુદીનભાઈ રાઠોડ, જીતુભાઇ દ્વારકાવાળા તથા લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા ખાસ પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ માટે તેમજ મોરબીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ૧૦૦ ફ્લેટ બનાવવવાનું જે આયોજન થઈ રહ્યું છે.તેના લાભાર્થે મોરબીની જાહેર જનતાને હાસ્યરસ તથા લોકસાહિત્ય પીરસશે.આ અનોખા ઉત્સવમાં પધારી સંસ્થાની તથા પ્રજ્ઞાચક્ષુઓની શોભામાં અભિવૃદ્ધિ કરવા સૌને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.કાર્યક્રમની સાથેસાથે અંધબાળાઓની નૃત્ય કૃતિઓ પણ લોકોને નિહાળવા મળશે.આગામી તા.૬-૧૧ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર આર્યવત સ્કૂલની બાજુમાં, મોરબી-માળિયા હાઇવે લક્ષ્મીનગર તા.જી.મોરબી ખાતે યોજાનાર ઉપરોકત સેવાકાર્યની વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૪૨૯૯ ૭૮૯૩૦ અથવા ૯૨૨૮૮ ૯૭૩૭૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News