મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા યુવાને કર્યો આપઘાત
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયાના ભાડાના મકાનમાં રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયામાં મોહમ્મદભાઈ આદમભાઈ બલોચના મકાનમાં ભાડે રહેતા રાજેશભાઈ ધરમશીભાઈ દેલવાડીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૧) એ પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આપઘાતના આ બનાવની મૃતકના ભાઈ દિનેશભાઈ ધરમશીભાઈ દેલવાડીયા (ઉંમર ૪૩) રહે. કાલિકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરેલ છે