મોરબીમાં ધનતેરસના દિવસે વૈઘ સભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે
SHARE
મોરબીમાં ધનતેરસના દિવસે વૈઘ સભા દ્વારા ધન્વંતરિ પૂજન કરાશે
આગામી દિવસોમાં દિવાળીના પર્વની લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષે જુએ રીતે ધનતેરસના દિવસે મોરબીમાં ધન્વંતરિ પૂજનનું આયોજન વૈઘ સભા દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવશે
મોરબીમાં વૈઘ સભા દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસે ધન્વંતરિ પૂજનનું આયોજન કરવામાં આવે છે આવી જ રીતે ચાલુ વર્ષે તા. ૨૨ ને શનિવારે રાતે ૮:૩૦ કલાકે પૂજનનો કાર્યક્રમ જયાબેન પટેલ ઔષધાલય, ધન્વન્તરી ભવન, ૧/૩ કાયાજી પ્લોટ મોરબી ખાતે રાખવામા આવેલ છે જેમાં શાસ્ત્રી નિખીલભાઈ શાસ્ત્રોકત વિધિથી પૂજન કરાવશે અને આ પૂજન પહેલા સાંજે ૭:૩૦ કલાકે ભોજનનું પણ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે જેથી કરીને તેનો લાભ લેવા શ્રી મોરબી વૈઘસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ, મંત્રી ડો. ચેતન અઘારાએ જણાવ્યુ છે