મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

સીસીટીવી કેમેરાએ દિવાળી સુધારી !: વાંકાનેર પોલીસે રોકડા રૂપિયા મૂળ માલીકને પરત કર્યા


SHARE













સીસીટીવી કેમેરાએ દિવાળી સુધારી !: વાંકાનેર પોલીસે રોકડા રૂપિયા મૂળ માલીકને પરત કર્યા

મોરબી તાલુકાના બંધુનગર ગામે રહેતો યુવાન વાંકાનેર તાલુકાના જાલીડા ગામે કામ હોવાથી ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો ત્યારે તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૬૦૦૦ જિનપરા જકાતનાકા પાસે આવેલ પાનની દુકાન પાસે પડી ગયા હતા જોકે, પાનની દુકાને મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં તે ઘટના કેદ થયેલ હોવાથી જે પોલીસ કર્મચારીને આ રોકડા રૂપિયા મળ્યા હતા તેના દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા બાદ મૂળ માલિકને તેના ૬૦૦૦ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા

સામાન્ય રીતે કોઈ જગ્યાએ પાકીટ ખોવાયું હોય તો તેમાં રાખવામા આવેલ ડૉક્યુમેન્ટ આધારે અને મોબાઈલ ખોવાયો હોય તો તેમાં રહેતા નંબરોના આધારે મૂળ માલિક સુધી પહોંચી શકાય છે પરંતુ રોકડા રૂપિયા રસ્તા પર પડી ગયા હોય અને તો પણ તે મૂળ માલિકને શોધીને પરત આપવામાં આવે તો. વાત સાંભળીને આચાર્યજનક લાગે પરંતુ મોરબી તાલુકાના બંધુનગર ગામે રહેતા ભાવેશભાઈ જયંતીભાઈ કુકડીયા જાતે પટેલ (ઉંમર ૪૧) સીરામીકમાં કોન્ટ્રાક્ટ રાખવાનું કામ કરી રહ્યા છે દરમિયાન તે વાંકાનેર તાલુકાના જાલીડા ગામ બાજુ કામ હોવાથી ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે ડીલક્ષ પાન નામની દુકાને ચા પીવા માટે ઉભા હતા દરમિયાન કોઈપણ રીતે તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૬૦૦૦ પડી ગયા હતા જે વાંકાનેરમાં ફરજ બજાવતા લોકરક્ષક દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસને મળ્યા હોય તેણે દુકાનદારને કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિના રૂપિયા પડી ગયા હોય અને તમારી પાસે જાણ કરવા માટે આવે તો મારી પાસે મોકલજો અને દરમિયાન ભાવેશભાઈ તેના રૂપિયા પડી ગયા હોવા અંગેની જાણ દુકાને કરવા માટે ગયા હતા આમ મૂળ માલિકને શોધીને તેના રોકડા રૂપિયા ૬૦૦૦ વાંકાનેરના પીએસઓ મુકેશભાઈ વાસાણીની હાજરીમાં લોકરક્ષકભાઈ ગીરીશભાઈ વ્યાસ દ્વારા પરત આપવામાં આવેલ છે






Latest News