મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

કરો આતિશબાજીને થાય ગૌસેવા !: મોરબીમાં પાંજરાપોળ દ્વારા ગૌવંશોના લાભર્થે ફડાકડાના બે સ્ટોલ ખુલ્લા મુકાયા


SHARE













કરો આતિશબાજીને થાય ગૌસેવા !: મોરબીમાં પાંજરાપોળ દ્વારા ગૌવંશોના લાભર્થે ફડાકડાના બે સ્ટોલ ખુલ્લા મુકાયા

દર વર્ષે દિવાળીના તહેવાર પર ફટાકડાનું ખૂબ જ વેચાણ થયુ હોય છે અને ફટાકડા ફોડીને લોકો ઉમંગ-ઉત્સાહ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે સીધી કે આડકતરી રીતે લોકોએ ગૌસેવાના કામમાં સહયોગ આપે તેવી ભાવના સાથે મોરબીના પાંજરાપોળ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર અને મહેન્દ્રનગર ગામ પાસે ફટાકડાના બે સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે અને લોકો ત્યાંથી ફટકડાની ખરીદી કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરશે તો આ બંને સ્ટોલ થકી જે પણ નફો થશે તે તમામ આવકને પાંજરાપોળ મોરબી ખાતે રાખવામા આવેલ ગાય અને ગૌવંશોની સેવાના કામ માટે જ વાપરવામાં આવશે

ગાય માતાને સનાતન સંસ્કૃતિમાં કામધેનું કહેવામા આવે અને ગૌમાતાના આશીર્વાદથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે કેમ કે, ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો નિવાસ છે જેથી કરીને ગૌસેવા કરવા માટે સીધી કે આડકતરી રીતે મોરબીના ઉદ્યોગકારો અને ગૌપ્રેમીઓ દ્વારા સહકાર આપવામાં આવે જ છે અને ખાસ કરીને મકરસંક્રાંતિના તહેવારો મોરબીમાં પાંજરાપોળ દ્વારા જુદાજુદા સ્થળે સ્ટોલ રાખવામાં આવે છે તેના થકી પાંજરાપોળ માટે એક જ દિવસમાં લાખો રૂપિયાની આવક થાય છે ત્યારે આગમી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મોરબી પાંજરાપોળ દ્વારા ફટાકડા પણ ગૌસેવાનું મધ્યમ બને તેના માટે મોરબીમાં પ્રથમ વખત શનાળા રોડ ઉપર આવેલ  સરદાર બાગની સામેના ભાગમાં અને મહેન્દ્રનગર ચોકડી પાસે બે ફટાકડાના સ્ટોલ રાખવામા આવેલ છે અને ત્યાં ફડાકડાનુ વેચાણ કરવામાં આવશે

મોરબી પાંજરાપોળ ટ્રસ્ટના ઉપપ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (વેલજીભાઇ બોસ)એ જણાવ્યુ હતું કે, મોરબી પાંજરાપોળને વર્ષો પહેલા ગૌવંશોના નિભાવ માટે જે જમીન રાજવી પરિવાર દ્વારા દેવામાં આવી હતી તે જગ્યામાં ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ઘાસચારો ઉગે તે માટેની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ઊભી કરવામાં આવી છે જેથી વીડીની જમીન બંજર પડી હતી ત્યાં આજની તારીખે ખેતી કરવામાં આવે છે અને ગાયો માટે ચારાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આટલું જ નહીં ૪૨૦૦ વીઘા જમીનને ફળદ્રુપ બનાવીને ૧૦૦૦ વીઘા જમીનમાં ૧,૧૧,૧૧૧ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું આજની તારીખે મોરબી પાંજરાપોળ દ્વારા ૪૨૩૫ જેટલા ગૌવંશોને મોરબીના લીલાપર રોડ, રફાળેશ્વર અને મકાનસર પાસે આવેલ વંડામા રાખીને તેનું જતન કરવામાં આવી રહ્યું છે અને ગૌસેવાના કાર્યમાં મોરબીના ઉદ્યોગકારો સહિતના દાતાઓ તરફથી છૂટા હાથે દાન આપવામાં આવે છે તે હક્કિત છે  

વધુમાં માહિતી આપતા વેલજીભાઇ ઉઘરેજાએ જણાવ્યુ હતું કે, મોરબીમાં સિરામિક ઉધોગપતિઓ દ્વારા ચલાવવામાં આવતા બજરંગ ધૂન મંડળ, ચિત્ર ધૂન મંડળ વિગેરે જેવી સંસ્થાઓ દ્વારા પણ પાંજરાપોળમાં રાખવામા આવેલા ગાય અને ગૌવંશો માટે વર્ષે લાખો નહીં કરોડો રૂપિયાનું દાન આપવામાં આવે છે અને તે સંસ્થાઓમાંથી પ્રેરણા લઈને અન્ય લોકો પણ મોરબીની પાંજરાપોળને ગૌવંશોના ચાર સહિતની વ્યવસ્થા ઊભી કરવા માટે દાન પાસે છે ત્યારે રોશનીના પર્વ દિવાળીને ધ્યાનમાં રાખીને પ્રથમ વખત મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે અને જુદાજુદા બે સ્થળ ઉપર જે સ્ટોલ મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા રાખવામા આવેલ છે તેમાં ફટાકડાની તમામ પ્રકારની વેરાઇટી રાખવામા આવી છે અને અહીથી ફટાકડા લઈને મોરબીના લોકો દ્વારા દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે એટ્લે સીધી કે આડકતરી રીતે મોરબીના લોકો દ્વારા ગૌસેવાના ઉત્તમ કાર્યમાં સહકાર આપવામાં આવશે

મોરબીમાં લીલાપર રોડ, રફાળેશ્વર અને મકાનસર પાસે આવેલ વંડામા જે ગૌવંશોને રાખવામા આવેલ છે તેની  સારવાર માટે ડોકટર સહિતની ટિમ ટ્રસ્ટ દ્વારા રાખવામા આવી છે આટલું જ નહીં પરંતુ તાજેતરમાં જે લંપી વાયરસ આવ્યો હતો તેની સૌથી ઓછી અસર મોરબી પાંજરાપોળના ગૌવંશોમાં જોવા મળી હતી તેવું પણ વેલજીભાઇ ઉઘરેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું અને ખાસ કરીને રફાળેશ્વર પાસે જે પાંજરાપોળ આવેલ છે ત્યાં ગૌવંશ માટેની તમામ જવાબદારી હાલમાં ટ્રસ્ટી વશરામભાઇ દેત્રોજા દ્વારા સાંભળવામાં આવી રહી છે આવી જ રીતે લીલપર વંડામાં જે ગૌવંશ તેના માટે સુવિધાની જવાબદારી હાલમાં નારણભાઇ પુંજાભાઈ સાંભળી રહ્યા છે અને હાલમાં જે ફટાકડાના બે સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે તેમાં સિનિયર સિટીજનો અને ગૌપ્રેમીઓ દ્વારા સેવા આપવામાં આવી રહી છે ત્યારે ગૌ સેવાના આ કાર્યમાં મોરબીના ઉદ્યોગકારો, ગૌપ્રેમીઓ અને નગરજનોને ટ્રસ્ટી મંડળ વતી વેલજીભાઇ ઉઘરેજાએ અપીલ કરેલ છે






Latest News