મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું
Breaking news
Morbi Today

મોરબીના વાવડી, કેનાલ રોડ તેમજ માળીયા હાઇવે ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા થતા ત્રણ યુવાનો સારવારમાં


SHARE













મોરબીના વાવડી, કેનાલ રોડ તેમજ માળીયા હાઇવે ઉપર થયેલ વાહન અકસ્માતમાં ઇજા થતા ત્રણ યુવાનો સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર રામપાર્ક વિસ્તારમાં રહેતા રેહાન અલીભાઈ જુણાચ નામના ૧૭ વર્ષના યુવાનને વાવડી ગામ પાસે આવેલા કબીર આશ્રમ નજીક બે બાઇક વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતા સુરેશભાઇ ચીમનભાઈ પટેલ નામના ૪૩ વર્ષીય યુવાનને શહેરના કેનાલ રોડ ઉપર આવેલા એસપી રોડ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજાઓ થવાથી સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા દિપક દશરથભાઇ રાણેવાડીયા નામનો ૩૪ વર્ષીય યુવાન માળીયા હાઇવે ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં આવેલ કાવેરી સીરામીક પાસે બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવારમાં ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

મોરબીના સબજેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા દિનેશભાઈ નાથાભાઈ સોલંકી નામના ૫૨ વર્ષીય આધેડ મચ્છુ નદીના પટમાં બનેલા બેઠા પુલ ઉપરથી વાહનમાં જતા હતા ત્યારે ત્યાં તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર અને જાંબુડીયા વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઘવાયેલા અજાણ્યા આશરે પચ્ચીસેક વર્ષના અજાણ્યા યુવાનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસે અકસ્માત સંદર્ભે અને ઇજાગ્રસ્ત થયેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા બાબતે આગળની તપાસ હાથ ધરેલ છે.

મારામારીમાં ઈજા

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા કિશોર નાથાભાઈ ગેડિયા (ઉમર ૩૪) અને ગૌતમ નાથાભાઈ ગેડિયા (ઉમર ૩૮) નામના બે ભાઈઓને મોરબીના રોહીદાસપરા શેરી નંબર-૫ પાસે આવેલા આંબેડકરનગર વિસ્તારમાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા બંનેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જયારે ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતી રિધ્ધીબેન જયંતીભાઈ દલસાણીયા નામની ૨૩ વર્ષીય યુવતી હીરાપર અને સરાયા ગામ વચ્ચેથી જતી હતી ત્યારે સામેથી બસની ઠોકર લાગતા જમણા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી.






Latest News