હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની પ્રવકતાની ટીમમાં સમાવેશ


SHARE













મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની પ્રવકતાની ટીમમાં સમાવેશ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને ચીફ સ્પોક પર્સન મનીષભાઈ દોશી દ્વારા આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ સૌરાષ્ટ્રમાં ચાલુ કરવામાં આવેલ મીડિયા સેન્ટર બાદ અલગથી મીડિયા ટીમ બનાવવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઉતર ગુજરાત યુનવર્સિટીનાં પૂર્વ ઉપકુલપતિ ડો. નીદત બારોટને સૌરાષ્ટ્ર મીડિયા ઝોનનાં ઇન્ચાર્જ બનાવાયા છે.

સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લામાંથી જુદા જુદા ૧૨ કાર્યકર્તાની કોંગ્રેસ સમિતિનાં પ્રવકતા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી પ્રવક્તાની ટીમમાં મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસ પક્ષની વિચારધારાને લોકો સુધી સહેલાઇથી પોહચાડી શકાશે કેમ કે, તે ડાઉન ટુ અર્થ રહીને કામગીરી કરી રહ્યા છે

હાલમાં કોંગ્રેસે જાહેર કરેલી સૌરાષ્ટ્ર ઝોનની ટીમમાં મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે આનંદભાઈ ગોહિલ, પ્રવક્તા તરીકે મિહીરભાઈ મહેતા, દેવેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ લાખાણી, તુસીતભાઈ પાનેરી, યુવરાજસિંહ પરમાર, કૃષ્ણદત્ત રાવલ, ધીરજભાઈ શિંગાળા, ભરતભાઈ ભીલ, ધનશ્યામભાઈ ભટ્ટી, સંગીતાબેન ચાંડપા અને રોહિતભાઈ રાજપુતનો સમાવેશ કરાયો છે

આગામી દિવસોમાં આ ટીમ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનાં વિચારોને અને સરકાર આવ્યા બાદ કોંગ્રેસએ કરેલા વાયદાઓને લોકો સુધી પોહચાડવામાં મહત્વનો ભાગ ભજવશે. આ તકે કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા મનીષભાઈ દોશી અને ડો.નીદત બારોટ જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ આ ટીમની તાલીમનાં કાર્યક્રમોનું આયોજન થશે અને આ તમામ પ્રવકતા ઓને જિલ્લામાં મીડિયા ટીમ ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવશે.






Latest News