રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની પ્રવકતાની ટીમમાં સમાવેશ


SHARE









મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની પ્રવકતાની ટીમમાં સમાવેશ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને ચીફ સ્પોક પર્સન મનીષભાઈ દોશી દ્વારા આગામી વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ સૌરાષ્ટ્રમાં ચાલુ કરવામાં આવેલ મીડિયા સેન્ટર બાદ અલગથી મીડિયા ટીમ બનાવવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ઉતર ગુજરાત યુનવર્સિટીનાં પૂર્વ ઉપકુલપતિ ડો. નીદત બારોટને સૌરાષ્ટ્ર મીડિયા ઝોનનાં ઇન્ચાર્જ બનાવાયા છે.

સૌરાષ્ટ્રનાં વિવિધ જિલ્લામાંથી જુદા જુદા ૧૨ કાર્યકર્તાની કોંગ્રેસ સમિતિનાં પ્રવકતા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી પ્રવક્તાની ટીમમાં મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસ પક્ષની વિચારધારાને લોકો સુધી સહેલાઇથી પોહચાડી શકાશે કેમ કે, તે ડાઉન ટુ અર્થ રહીને કામગીરી કરી રહ્યા છે

હાલમાં કોંગ્રેસે જાહેર કરેલી સૌરાષ્ટ્ર ઝોનની ટીમમાં મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે આનંદભાઈ ગોહિલ, પ્રવક્તા તરીકે મિહીરભાઈ મહેતા, દેવેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ લાખાણી, તુસીતભાઈ પાનેરી, યુવરાજસિંહ પરમાર, કૃષ્ણદત્ત રાવલ, ધીરજભાઈ શિંગાળા, ભરતભાઈ ભીલ, ધનશ્યામભાઈ ભટ્ટી, સંગીતાબેન ચાંડપા અને રોહિતભાઈ રાજપુતનો સમાવેશ કરાયો છે

આગામી દિવસોમાં આ ટીમ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષનાં વિચારોને અને સરકાર આવ્યા બાદ કોંગ્રેસએ કરેલા વાયદાઓને લોકો સુધી પોહચાડવામાં મહત્વનો ભાગ ભજવશે. આ તકે કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા મનીષભાઈ દોશી અને ડો.નીદત બારોટ જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં જ આ ટીમની તાલીમનાં કાર્યક્રમોનું આયોજન થશે અને આ તમામ પ્રવકતા ઓને જિલ્લામાં મીડિયા ટીમ ઊભી કરવાની જવાબદારી સોંપવામાં આવશે.






Latest News