મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડે સમર્પણ લેમિનેટ કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગતાં દાઝી ગયેલા યુવાનનું મોત


SHARE









મોરબીના રાજપર રોડે સમર્પણ લેમિનેટ કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગતાં દાઝી ગયેલા યુવાનનું મોત

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સમર્પણ લેમિનેટ નામના કારખાનામાં લાકડાના ભુસામાં આગ લાગી હતી જેથી યુવાન ગંભીર રીતે દાઝી જતાં તેને પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ઘનશ્યામભાઈ પેથાભાઇ ચૌહાણ (ઉંમર ૪૫) મોરબીના રાજપર રોડ ઉપર આવેલ સમર્પણ લેમિનેટ નામના કારખાનામાં કામ કરતા હતા અને કામગીરી દરમિયાન ત્યાં લાકડાના ભુસામાં કોઈ કારણોસર  આગ લાગી ગઈ હતી જેથી કરીને આગ લાગવાની આ ઘટનામાં ઘનશ્યામભાઈ પેથાભાઈ ચૌહાણ ગંભીર રીતે દાજી ગયા હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જતા હતા ત્યારે ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ અટેકથી મોત

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા મંજુબેન નરશીભાઈ પરમાર (ઉંમર ૬૦) મોરબી નજીકના નીચી માંડલ ગામે તેના સંબંધીની ઉત્તરક્રિયામાં આવ્યા હતા ત્યારે તેને છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી તેને સારવાર માટે લઈ જતાં હતા ત્યારે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત નીપજયું હતું માટે તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News