મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયતમાં તીથવામાં પાણી માટે રજૂઆત કરવા ગયેલ ધારાસભ્ય સહિતના પાંચ સામે નોંધાયેલ એટ્રોસિટીના ગુનામાં તમામનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબી જિલ્લાની વાંકાનેર વિધાનસભા બેઠકના ધારાસભ્ય સહિત પાંચ વ્યક્તિઓની સામે વર્ષ 2012માં એટ્રોસિટીની ફરિયાદ જે તે સમયના વાંકાનેરના ટીડીઓ દ્વારા નોંધાવવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ધારાસભ્યના વકીલ દ્વારા કરવામાં આવેલ રજૂઆતો, દલીલો અને પુરાવો ને ધ્યાનમાં રાખીને કોર્ટે વાંકાનેરના ધારાસભ્ય સહિતના પાંચે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે

જાણવા મળતી માહિતી મુજબ વર્ષ 2012માં ઓગસ્ટ મહિનાની 27 મી તારીખે વાંકાનેર તાલુકાના તીથવા ગામે પાણીનો પ્રશ્ન હોવાથી તે ગામના સરપંચની આગેવાનીમાં ત્યાંના ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય સહિતના લોકો વાંકાનેર તાલુકા પંચાયત ખાતે પાણીના પ્રશ્ન રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યારબાદ તારીખ 2/9/2012 ના રોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જે તે સમયના વાંકાનેર તાલુકા પંચાયતના તે સમયના ટીડીઓ દ્વારા વાંકાનેરના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા, વાંકાનેર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ યુનુસભાઇ શેરસીયા, તિથવા ગામના સરપંચ મોહમ્મદભાઈ શેખ, તીથવા ગ્રામ પંચાયતના સભ્ય જલાલભાઈ પટેલ તેમજ અબ્દુલભાઈ ચૌધરી સહિત પાંચ વ્યક્તિઓની સામે એટ્રોસિટી અને ઓફિસમાં તોડફોડ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ધારાસભ્ય સહિત પાંચેય આરોપીઓના વકીલ અનિલભાઈ દેસાઈ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી રજૂઆતો અને દલીલોને ધ્યાને રાખીને કોર્ટે ધારાસભ્ય સહિતના પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે






Latest News