મોરબી જિલ્લામાંથી આર્મી જવાનોને દિવાળી શુભકામનાઓ પાઠવવા યંગ ઇન્ડિયા ગ્રુપની ઝુંબેશ
મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે આંદોલનમાં હાજર રહ્યા
SHARE
મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે આંદોલનમાં હાજર રહ્યા
સમગ્ર ગુજરાતના ત્રિપંખ સાધુ સમાજ દ્વારા ગાંધીનગર મુકામે સરકાર સામે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને સરકાર સાથે વૈકુંઠ ગીરીબાપુ અને સમાજના આગેવાનો સાથે ત્રણ વખત મંત્રણાઓ કરવામાં આવી તો પણ સાધુ સમાજના હિતમાં હજુ સુધી નિર્ણય કરવામાં આવેલ નથી ત્યારે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના ત્રિપંખ સાધુ સમાજનું એક વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેમાં તા. ૨૦ સુધી આંદોલનને સ્થગિત કર્યું છે અને ત્રણ દિવસ ચાર દિવસ બાદ નવી નીતિઓ ઘડી આયોજન બંધ રીતે આગળ વધવાનું આગેવાનોએ નક્કી કર્યું છે આ સંમેલનમાં હિતેશગીરી, હિંમતબાપુ, પૂર્ણ વૈરાગીબાપુ તેમજ મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના પ્રમુખ સંજયગીરી, ગોસ્વામી પ્રકાશના તંત્રી બિપિનગીરી, ગોસ્વામી સમાચારના તંત્રી વિશાલ ભારતી, તેમજ અનેક સંતો મહંતો તેમજ ખાસ મોરબીથી ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી તથા કારોબારી સભ્ય મહિપતપૂરી તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજના હિતમાં જે કાંઈ નિર્ણય લેવાય તેમાં સૌ સાથે મળી અને આગળ વધશું તેવું નક્કી કરવામાં આવ્યું છે