મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે આંદોલનમાં હાજર રહ્યા


SHARE













મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે આંદોલનમાં હાજર રહ્યા

સમગ્ર ગુજરાતના ત્રિપંખ સાધુ સમાજ દ્વારા ગાંધીનગર મુકામે સરકાર સામે ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું અને સરકાર સાથે વૈકુંઠ ગીરીબાપુ અને સમાજના આગેવાનો સાથે ત્રણ વખત મંત્રણાઓ કરવામાં આવી તો પણ સાધુ સમાજના હિતમાં હજુ સુધી નિર્ણય કરવામાં આવેલ નથી ત્યારે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના ત્રિપંખ સાધુ સમાજનું એક વિશાળ શક્તિ પ્રદર્શન યોજાયું હતું જેમાં તા. ૨૦ સુધી આંદોલનને સ્થગિત કર્યું છે અને ત્રણ દિવસ ચાર દિવસ બાદ નવી નીતિઓ ઘડી આયોજન બંધ રીતે આગળ વધવાનું આગેવાનોએ નક્કી કર્યું છે આ સંમેલનમાં હિતેશગીરી, હિંમતબાપુ, પૂર્ણ વૈરાગીબાપુ તેમજ મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળના પ્રમુખ સંજયગીરી, ગોસ્વામી પ્રકાશના તંત્રી બિપિનગીરી, ગોસ્વામી સમાચારના તંત્રી વિશાલ ભારતી, તેમજ અનેક સંતો મહંતો તેમજ ખાસ મોરબીથી ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી તથા કારોબારી સભ્ય મહિપતપૂરી તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને સમાજના હિતમાં જે કાંઈ નિર્ણય લેવાય તેમાં સૌ સાથે મળી અને આગળ વધશું તેવું નક્કી કરવામાં આવ્યું છે






Latest News