મોરબી ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વીમા કંપનીને વીમો ચૂકવવા આદેશ
અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના મોરબી જિલ્લાના પ્રમુખ બન્યા જયવંતસિંહ એચ. જાડેજા
SHARE
અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના મોરબી જિલ્લાના પ્રમુખ બન્યા જયવંતસિંહ એચ. જાડેજા
અખિલ ગુજરાત રાજપુત યુવા સંધની ૩૧મી વાર્ષિક પ્રદેશ કાર્યકર્તા શિબીર નાથદ્વારા રાજસ્થાન ખાતે રાખવામા આવી હતી જેમાં મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના પ્રમુખ તરીકે જયવંતસિંહ એચ. જાડેજા (સગાળીયા) તથા મહામંત્રી તરીકે રાજવિરસિંહ પી. સરવૈયા (છત્રાસા) ની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.
મોરબી જિલ્લાના અખિલ ગુજરાત રાજપુત યુવા સંધના પ્રમુખ તરીકે જયવંતસિંહ એચ. જાડેજા અને મહામંત્રી તરીકે રાજવિરસિંહ પી. સરવૈયાની વરણી કરવામાં આવતા ડો. જયેંન્દ્રસિંહ જાડેજા, દિપકસિંહ ઝાલા, પી.ટી. જાડેજા, આઇ.કે.જાડેજા તથા મોરબીના હાજર તમામ ભાઇઓ બહેનોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવેલ હતી. અને ક્ષત્રિય રાજપુત સમાજની આ ઇન્ટરનેશનલ રાજપુત સંસ્થા છે. અને વિદેશમા લંડન તથા અમેરીકા ખાતે યોજાયેલ રાજપુત ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ જયવંતસિંહ એચ. જાડેજા અગાઉ ભાગ લઇ ચુકેલ છે. મોરબી જ્યારે રાજકોટ જિલ્લામાં હતું ત્યારે તેઓ આ સંસ્થાના રાજકોટ જિલ્લાના પ્રમુખ હતા અને હવે તેને મોરબી જીલ્લામાં પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે