મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વીમા કંપનીને વીમો ચૂકવવા આદેશ


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષાની દરમ્યાનગીરીથી વીમા કંપનીને વીમો ચૂકવવા આદેશ

મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા અમદાવાદના વતની કોમલબેન એસ. જસવાણી એ તેમના માતૃશ્રી અનીતાબેનનો મેડીકલ કલેઇમ ધ ઓરીએન્ટ ઇન્સ્યુરન્સ કા.લી. નહી ચુકવતા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરે છે. અને કેઇસ ચાલી જતાં ગ્રાહક અદાલતે૧૦૫૦૦૦ અને ખર્ચના ૩૦૦૦ તા. ૧૨/૧૧/૨૦૨૧ થી સાત ટકા ના વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે.

વીમા કંપની મેડીકલ કે અન્ય વીમો લેવામાં ઉતાવળ કરે પણ વીમો આપવામાં ઘણી વખત ઊંચા હાથ કરી નાખે છે આવા જ એક વીમા ગ્રાહક અમદાવાદના વતની કોમલબેન જસાણીએ પોતાની માતૃ અનીતાબેનને તાવ-શરદી અને કફ થતાં નબળાઇ આવેલ તેણીએ અમદાવાદની તૃપ્તી હોસ્પીટલમાં છ દિવસ દાખલ કરી સારવાર લીધેલ હતી તેને કોરોનો આવતા ખર્ચ ૧,૦૫,૦૦૦ ખર્ચ થયેલ અને અનીતાબેનનુ તા.૩૦/૪/૨૦૨૧ નાં રોજ અવસાન થયેલ છે પરંતુ વીમા કંપનીએ જાણાવેલ કે, રીપોર્ટ ગર્વમેન્ટ ઓથોરાઇઝ ડાયગ્નેસીક સેન્ટરે આપેલ નથી અને દર્દીને આર.ટી.પી.સી.આર. રિપોર્ટ નેગેટીવ આવેલ છે. માટે પોલીસીની શરતોમાં આવતાં ન હોઇ વીમો મળવા પાત્ર નથી તૃપ્તી હોસ્પીટલના ડોકટરનો અભિપ્રાય અને રિપોર્ટ મુજબ દર્દીમાં કોરોનાના લક્ષણો હતાં અદાલતે આ બાબત ધ્યાને લઇને કોમલબેન જસાણીને ૧૦૫૦૦૦ અને ૩૦૦૦ ખર્ચના તા.૧૨/૧૧/૨૦૨૧ થી સાત ટકાના વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે. અને આવી રીતે વીમા કંપની દ્વારા જો કોઈને તેના હક્કના રૂપિયા આપવામાં ન આવતા હોય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો (૯૮૨૫૭ ૯૦૪૧૨) સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News