ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતનો પાંચ દિવસીય સંભાષણ વર્ગ યોજાશે


SHARE













મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતનો પાંચ દિવસીય સંભાષણ વર્ગ યોજાશે

સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા નિવાસી વર્ગનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા.૩૦ થી ૪ નવેમ્બર સુધી મોરબી નજીકના નવા સાદુળકા ગામ પાસે આવેલ સર્વોપરી સંકુલ ખાતે આ સંભાષણ વર્ગ યોજાશે. જેમાં ૧૫ થી ૫૫ વર્ષ સુધીના લોકો ભાગ લઈ શકશે અને તેના માટેની ફી ૩૦૦ રૂપિયા રાખવામા આવી છે અને મર્યાદિત સંખ્યામાં લોકોને બોલાવવાના છે માટે https://forms.gle/yaK9dxXscNQFT5ax5 લિંક ઉપર જઈને રજિસ્ટ્રેશન કરવી શકશે અને વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સંસ્કૃત ભારતીના આ વર્ગમાં સંસ્કૃત ભાષામાં જ સંસ્કૃત શિક્ષણ, અભિનય અને વિવિધ કાર્ડ દ્વારા સંસ્કૃત શિક્ષણ, ક્રીડા અને પ્રવૃત્તિ દ્વારા સંસ્કૃત શિક્ષણ, મનોરંજક સહ-અભ્યાસિક પ્રવૃતિઓ, વ્યક્તિત્વ વિકાસ અને સમૂહ શિક્ષણ, અનુભવી શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા, સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા ઉત્તમ આયોજન વગેરે માહિતી અપાશે. આ શિબિરા માટે તા. ૩૦ ના રોજ બપોર ૧૨ સુધીમાં વર્ગસ્થાન પર પહોંચવાનું રહેશે અને તા ૪ ના રોજ બપોરે ભોજન પછી વર્ગ પૂર્ણ થશે. અને ખાસ કરીને આ વર્ગ માટે બહેનોને રહેવાની અલગ વ્યવસ્થા રહેશે. અને વર્ગ સ્થાન પર મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં અને આ વર્ગમાં વધુ પડતા રૂપિયા કે જોખમ વાળી વસ્તુ લાવવી નહીં. અને તેમની જવાબદારી સંપૂર્ણ પણે તમારી જ રહેશે. અને શિબિરમાં ઓઢવા-પાથરવાનું સાથે લઈને આવવાનું રહેશે અને વિશેષ માહિતી ડૉ.પંકજભાઈ ત્રિવેદી (૯૪૨૬૪ ૫૪૫૪૫) આપશે અને મોરબીના જનપદ સંયોજક કિશોરભાઈ (૯૮૨૫૭ ૪૧૮૬૮) કે મયુરભાઈ (૯૮૨૫૬૩૩૧૫૪) ઉપર સંપર્ક કરવાનો રહેશે.






Latest News