મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતનો પાંચ દિવસીય સંભાષણ વર્ગ યોજાશે
વાંકાનેરમાં જૂના શેઠે ધમકી આપતા ખોળના ધંધાર્થી આધેડે ઝેર દવા ગટગટાવી
SHARE
વાંકાનેરમાં જૂના શેઠે ધમકી આપતા ખોળના ધંધાર્થી આધેડે ઝેર દવા ગટગટાવી
વાંકાનેરમાં આધેડ જે દુકાને નોકરી કરતો હતો તેની બાજુમાં જ પોતાનો ધંધો શરૂ કરી દીધો હતો જેથી કરીને જૂના શેઠ દ્વારા આધેડને ધમકી આપવામાં આવી હતી જેથી લોહાણા આધેડે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને વાંકાનેરમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે
વાંકાનેરમાં આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા દિલીપ ધીરજલાલ રાજાણીએ ગઇકાલે વાંકાનેરના નવા માર્કેટીંગ યાર્ડ ખાતે ડીડીટીનો પાઉડર પી લેતા તેને ઝેરી અસર થયેલ હતી જેથી કરીને વાંકાનેર હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ નિવેદનમાં આધેડે જણાવ્યુ છે કે, વાંકાનેરમાં જ પશુ આહાર રાજા ફીડ કેટલ નામે ઢોરને ખાવાના ખોળનો વેપાર કરતા મકબૂલભાઈ સાથે તે છેલ્લા ૮ વર્ષથી તેમની પેઢીમાં નોકરી કરતાં હતા અને દિલીપ ભાઈએ દસ દિવસ પહેલા વાંકાનેરમાં જ પોતાની અલગ દુકાનમાં ખોળનો સ્વતંત્ર વેપાર શરૂ કર્યો હતો જે જૂના શેઠ મકબૂલભાઈને ન ગમતા તેને દિલીપભાઈની બાજુમાં જ મકબૂલભાઇએ પોતાની બીજી દુકાન શરૂ કરીને દિલીપભાઈ કરતાં સસ્તા ભાવે ખોળ વેચવાનું શરૂ કર્યું હતું. તેવું દિલીપભાઈએ જણાવ્યુ છે અને મકબૂલભાઈએ તેને ધમકી આપેલ હતી કે, હું આ ધંધો તને નહીં કરવા દઉં. જે વાતનું લાગી આવતા દિલીપભાઈએ ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડાયેલ છે અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે