ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુએ છોકરા બાબતે ઠપકો આપતા પરિણીતાએ પકડી અનંતની વાટ


SHARE













મોરબીમાં સાસુએ છોકરા બાબતે ઠપકો આપતા પરિણીતાએ પકડી અનંતની વાટ

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી પાણીતાને તેની સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેના લાગી આવતા પરણીતાએ પોતાના ઘરની અંદર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર એમ-૭૪૪ માં રહેતા ડિમ્પલબેન હિતેશભાઈ પરમાર (ઉંમર ૨૫) એ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ વિપુલ ફુલતરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક પરણીતાને તેના સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને મનમાં લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના હમીરપર ગામે ભવનભાઈ શિકારીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં સુનિલભાઈ મોહનિયાના પત્ની રીંકુબેન (૨૦) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે જોકે તેને કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News