હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુએ છોકરા બાબતે ઠપકો આપતા પરિણીતાએ પકડી અનંતની વાટ


SHARE







મોરબીમાં સાસુએ છોકરા બાબતે ઠપકો આપતા પરિણીતાએ પકડી અનંતની વાટ

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી પાણીતાને તેની સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેના લાગી આવતા પરણીતાએ પોતાના ઘરની અંદર પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર એમ-૭૪૪ માં રહેતા ડિમ્પલબેન હિતેશભાઈ પરમાર (ઉંમર ૨૫) એ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા હેડ કોન્સ્ટેબલ વિપુલ ફુલતરીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક પરણીતાને તેના સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને મનમાં લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

ઝેરી દવા પીધી

ટંકારા તાલુકાના હમીરપર ગામે ભવનભાઈ શિકારીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં સુનિલભાઈ મોહનિયાના પત્ની રીંકુબેન (૨૦) એ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે પડધરી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વખતે પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને તેને સંતાનમાં એક દીકરો છે જોકે તેને કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News