વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે મોરબીના ૧૯૩૯ કરોડના કામોનું થશે ખાતમહુર્ત


SHARE













વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે મોરબીના ૧૯૩૯ કરોડના કામોનું થશે ખાતમહુર્ત

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટ આવી રહ્યા છે અને ત્યારે જુદા જુદા જિલ્લાઓની અંદર કરોડો રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત તેઓના હસ્તે કરવામાં આવનાર છે દરમિયાન જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લામાં પણ ૧૯૩૯ કરોડના વિકાસ કામોનું ખાતમહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણા સમયથી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં સભાઓને ગજવી રહ્યા છે અને આગામી દિવસોમાં હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને જાહેર થવામાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તેવા સમયે રંગીલા રાજકોટમાં આજે બપોરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજવાની છે તેની સાથો સાથ તેમના હસ્તે જુદા જુદા લાખો કરોડો રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાના છે દરમિયાન જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીમાં ૧૪૬૧ કરોડના ખર્ચે સીરામીક પાર્ક, ૧૯૭ કરોડના ખર્ચે હળવદ મોરબી ફોરલેન, ૧૪૧ કરોડના ખર્ચે મોરબી જેતપર ફોરલેન, ૭૪ કરોડના ખર્ચે નવલખી રેલવે લાઈન ઓવરબ્રિજ, ૩૩ કરોડના ખર્ચે મોરબી જિલ્લા કોર્ટ, ૨૩ કરોડના ખર્ચે ગવર્મેન્ટ ક્વાર્ટર અને ૭ કરોડના ખર્ચે ટંકારા કોર્ટ બિલ્ડીંગ તેમજ મોરબી જિલ્લામાં સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ મેડિકલ કોલેજ આમ અનેક વિધ કામોના ખાતમહુર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાના છે અને કુલ મળીને એક જ દિવસમાં મોરબીના ૧૯૩૯ કરોડના વિકાસ કામોના ખાતમહુર્ત અને લોકાર્પણ નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યા છે જેથી કરીને મોરબીના લોકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે






Latest News