મોરબીની નિલકંઠ સ્કૂલ ખાતે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પ્રદર્શન-સેલનું આયોજન
મોરબી જલારામ મંદીરના અગ્રણીઓએ ૭૮ દીવંગતોના અસ્થિઓનુ ત્રિવેણી સંગમ કર્યું વિસર્જન
SHARE
મોરબી જલારામ મંદીરના અગ્રણીઓએ ૭૮ દીવંગતોના અસ્થિઓનુ ત્રિવેણી સંગમ કર્યું વિસર્જન
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હીન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ કરવામા આવે છે તે ઉપરાંત તેમના અસ્થિઓનુ સોમનાથ મુકામે ત્રિવેણી સંગમમા સામૂહીક વિસર્જન કરવામા આવે છે. તેમજ જે લોકો પોતાના સ્વજનોના અસ્થિઓનુ વિસર્જન ન કરી શકેલ હોય તેમના અસ્થિઓનુ વિસર્જન પણ સંસ્થા દ્વારા કરવામા આવે છે. હીન્દુ ધર્મ ની પરંપરા મુજબ દીવંગતોના આત્માની શાંતિ અર્થે ગ્રહણ પહેલા અસ્થિઓનુ વિસર્જન કરવુ અનિવાર્ય હોય છે ત્યારે દીવાળીના પર્વ ઉપર સુર્યગ્રહણ હોય મોરબી જલારામ મંદીર દ્વારા તા.૨૦ ના રોજ સોમનાથ મુકામે પવિત્ર ત્રિવેણી સંગમમા ૧૫ બિનવારસી મૃતદેહોના અસ્થિઓ સહીત કુલ ૭૮ દીવંગતોના અસ્થિઓનુ સામૂહીક અસ્થિ વિસર્જન કરવામા આવશે. તા.૧૯ ના રોજ મોરબીના તમામ સ્મશાનેથી અસ્થિઓ એકત્રિત કરી વિદ્યુત સ્મશાન ખાતે લઈ જવામા આવ્યા હતા. જ્યાં શાસ્ત્રોક્ત વિધી સંપન્ન થયા બાદ સંસ્થાના અગ્રણીઓ સોમનાથ જવા રવાના થયા છે આ સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, ચિરાગભાઈ રાચ્છ, હરકાંતભાઈ વ્યાસ, પોલાભાઈ પટેલ, મનિષભાઈ પટેલ, નિર્મિતભાઈ કક્કડ, નરસીભાઈ રાઠોડ, ભાવીનભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓ જોડાયા હતા.