મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિરે અન્નકુટ દર્શન યોજાશે


SHARE











ટંકારામાં લક્ષ્મીનારાયણ મંદિરે અન્નકુટ દર્શન યોજાશે

ટંકારા મધ્યે બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આગામી ૨૬ ઓક્ટોબરને બુધવારે નુતન વર્ષ નિમિત્તે અન્નકુટ દર્શન યોજાશે. જેની તૈયારી પણ પુર્ણ થઈ ગઈ છે. દિવાળીના તહેવારો આજથી  શરુ થઇ જાય છે. અહી રોજ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રિય સંગીત અને નોબત વગાડવાની પરમપરા આજે પણ  જીવંત છે.

ટંકારાના મધ્યમા બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણના મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૨૬ ને બુધવારે નુતનવર્ષ અન્નકૂટ દર્શન કરવામા આવશે.જેમાં અનેક શાકભાજી, ફળ, પ્રસાદ સહિતનો ભોગ ઠાકોરજીના સન્મુખ ધરાવાશે. આ તકે શ્રીલક્ષ્મીનારાયણ મંદિરના મહંત દ્વારા ટંકારા સહીત દેશભરમાં વસતા તમામ હરિભક્તોને ટંકારા પધારવા અને અન્નકુટ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દિવાળીના તહેવારને લઈને આજથી બંગલા દર્શન શરુ થઈ ગયા છે. ભગવાન આજે મંદીરના પરીસરમા બિરાજમાન થશે તથા મંદિરને રોશની અને વાઘાના શણગાર કરવામાં આવ્યો છે. અહીં વર્ષો જુની પરંપરા મુજબ દિવાળી તહેવારના ૫ દિવસ વહેલી સવારે અને ઢળતી સાંજે શાસ્ત્રીય સંગીત સાથે નોબત વગાડવામાં આવે છે. દેશ દેશાંતરમાંથી ભક્તો પરીવાર સાથે પધારે છે. નવા વર્ષ અહીં માથું ટેકવી ધન્યતા અનુભવે છે.






Latest News