મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના લાભનગર પાસેના મફતીયાપરામાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા


SHARE













મોરબીના લાભનગર પાસેના મફતીયાપરામાં જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર પાસેના મફતીયાપરામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા ત્રણ જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૧૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગરમાં મફતીયાપરામાં આવેલ માતાજીના મઢ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ભગવાનજીભાઈ જેરામભાઈ સાલાણી (ઉમર ૩૫), રાજેશભાઈ મગનભાઈ સાલાણી (ઉંમર ૩૦) અને રવજીભાઈ જેરામભાઈ સાલાણી (૪૫) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૧૧૪૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ ઉપર રહેતા પિયુષભાઈ બાબુભાઈ કુંવરિયા જાતે કોળી (ઉમર ૩૮) ને મારામારીના બનાવવામાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કૈલાશ પાર્કમાં રહેતા જેરામભાઈ પરસોતમભાઈ અંજારિયા (ઉંમર ૬૦) ગઇકાલે સવારના આઠ વાગ્યાના અરસામાં નવલખી રોડ ઉપર બહુચર ફાર્મ પાસેથી પસાર થતા હતા ત્યારે વાહન અકસ્માતના બનાવવામાં તેઓને ઈજા થયેલ હોવાથી જેરામભાઈ અંજારિયાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના રવાપર નદી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વિજયભાઈ રામજીભાઈ પાચીયા (ઉમર ૩૪) નામના યુવાનને ઇજાઑ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને મારામારીના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News