મોરબી જિલ્લા હિન્દુ દેવી-દેવતાના સ્ટિકર વાળા ફટાકડા વેચતા વેપારી પકડાઈ તો કાયદેસરની કાર્યવાહી
SHARE
મોરબી જિલ્લા હિન્દુ દેવી-દેવતાના સ્ટિકર વાળા ફટાકડા વેચતા વેપારી પકડાઈ તો કાયદેસરની કાર્યવાહી
એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા મોરબી જિલ્લામા તમામ જગ્યાએ જઈને ફટાકડા વેચનાર વેપારીઓને હિન્દુ દેવી દેવતાના સ્ટીકર અથવા ફોટા વાળા ફટાકડાનુ વેચાણ ન કરવા અને જો વેચાણ કરતા પકડાશે તો કલમ ૨૯૫/૨૯૫ એ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે
દિવાળી ઉપર વેચતા ફટાકડામાં હિન્દુ દેવી દેવતાના ફોટો મૂકવામા આવે છે જેથી કરીને આવા ફટાકડાનું વેચાણ મોરબીમાં ન કરવામાં આવે તે માટે એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા મોરબીના તમામ વેપારીને સહયોગ આપવા માટે અનુરોધ કરવામાં આવેલ છે ત્યારે વેપારીઓને પણ સહયોગ આપવા માટે જણાવ્યુ છે અને કોઈ વેપારી આવા ફટાકડાનું વેચાણ નહિ કરે તેવું કહેવામા આવ્યું છે મોરબી જિલ્લાના તમામ ગામ અથવા શહેરોમાં વેપારીઓ હિન્દુ ધર્મના કોઈ પણ દેવી દેવતાના સ્ટીકર વાળા ફટાકડાના ખરીદે અને વેચાણ ન કરે તે જરૂરી છે નહિ તો હિન્દુઓની લાગણી દુભાવવા બદલ એમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને હિન્દુ દેવી દેવતાઓના ફટાકડા ન ખરીદી કરવા માટે લોકોને પણ અપીલ કરવામાં આવી છે









