મોરબી જિલ્લા હિન્દુ દેવી-દેવતાના સ્ટિકર વાળા ફટાકડા વેચતા વેપારી પકડાઈ તો કાયદેસરની કાર્યવાહી
મોરબીમાં સોમવારથી કાલીપુજા મહાઉત્સવનું આયોજન
SHARE
મોરબીમાં સોમવારથી કાલીપુજા મહાઉત્સવનું આયોજન
મોરબીના દરબારગઢ ચોકમાં દર વર્ષે દિવાળી ઉપર કાલી પૂજાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી સોમવાર તા.૨૪ થી ૨૬ સુધી કાલીપુજા કમીટી દ્વારા વર્ષોની પરંપરા મુજબ કાલીપુજા મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
આ આયોજન માટેની મુખ્ય કમીટીના મેમ્બર્સ લાલુદાસભાઈ, બાબુભાઈ, સદાનંદભાઈ, અશોકભાઈ, નિર્મલભાઈ, બબલુભાઈ, અજીતભાઈ, પ્રિન્ટુભાઈ,ગોપીભાઈ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને કાલીપુજા માટે જાજરમાન પંડાલ નાખવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, કાલીપુજા સંપુર્ણ દેશમાં ધામઘુમથી ઉજવવામાં આવે છે અને ત્રણ દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, માં કાલીપુજા અર્ચના,ચંડી પાઠ, પુષ્પાજંલી, મહાઆરતી, મહાપ્રસાદ, ઢોલ અને સિંદુર ખેલા અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને તા. ૨૬ના દિવસે કાલીપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવે છે. ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરંપરાનું સમન્વય થાય છે કાલીપુજા પંડાલમાં અનુષ્ઠાન,પુજન, અર્ચન, મહા આરતી અને સ્મૃતી કરવામાં આવે છે. માં કાલીએ રકતબીજ, ધુમ્રલોચન સહીત અનેક અસુરોનું સંહાર કર્યો છે જેના અનુસંધાનમાં કાલીપુજાનું આયોજન કરવામાં આવ્યું છે.તો આ અવસરનો લાભ લેવા તમામ જનતાને ભાવભર્યુ આમંત્રણ છે.









