હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારથી કાલીપુજા મહાઉત્સવનું આયોજન


SHARE







મોરબીમાં સોમવારથી કાલીપુજા મહાઉત્સવનું આયોજન

મોરબીના દરબારગઢ ચોકમાં દર વર્ષે દિવાળી ઉપર કાલી પૂજાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી સોમવાર તા.૨૪ થી ૨૬ સુધી કાલીપુજા કમીટી દ્વારા વર્ષોની પરંપરા મુજબ કાલીપુજા મહાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

 આ આયોજન માટેની મુખ્ય કમીટીના મેમ્બર્સ લાલુદાસભાઈ, બાબુભાઈ, સદાનંદભાઈ, અશોકભાઈ, નિર્મલભાઈ, બબલુભાઈ, અજીતભાઈ, પ્રિન્ટુભાઈ,ગોપીભાઈ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને કાલીપુજા માટે જાજરમાન પંડાલ નાખવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, કાલીપુજા સંપુર્ણ દેશમાં ધામઘુમથી ઉજવવામાં આવે છે અને ત્રણ દિવસ ચાલતા આ ઉત્સવમાં સ્થાપના, માં કાલીપુજા અર્ચના,ચંડી પાઠ, પુષ્પાજંલી, મહાઆરતી, મહાપ્રસાદ, ઢોલ અને સિંદુર ખેલા અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને તા. ૨૬ના દિવસે કાલીપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવે છે. ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરંપરાનું સમન્વય થાય છે કાલીપુજા પંડાલમાં અનુષ્ઠાન,પુજન, અર્ચન, મહા આરતી અને સ્મૃતી કરવામાં આવે છે. માં કાલીએ રકતબીજ, ધુમ્રલોચન સહીત અનેક અસુરોનું સંહાર કર્યો છે જેના અનુસંધાનમાં કાલીપુજાનું આયોજન કરવામાં આવ્યું છે.તો આ અવસરનો લાભ લેવા તમામ જનતાને ભાવભર્યુ આમંત્રણ છે.






Latest News