મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં પાંજરાપોળના લાભર્થે ત્રણ જગ્યાએ ફડાકડાના સ્ટોલ: લોકોનો અભૂતપૂર્વક સહકાર


SHARE









મોરબીમાં પાંજરાપોળના લાભર્થે ત્રણ જગ્યાએ ફડાકડાના સ્ટોલ: લોકોનો અભૂતપૂર્વક સહકાર

દર વર્ષે દિવાળીના તહેવાર પર ફટાકડાનું ખૂબ જ વેચાણ થયુ હોય છે અને ફટાકડા ફોડીને લોકો ઉમંગ-ઉત્સાહ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે મોરબીના પાંજરાપોળ દ્વારા મોરબીના શનાળા રોડ, મહેન્દ્રનગર અને રવાપર ચોકડી પાસે ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે અને લોકો ત્યાંથી ફટકડાની ખરીદી કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે

ગાય માતાને સનાતન સંસ્કૃતિમાં કામધેનું કહેવામા આવે અને ગૌમાતાના આશીર્વાદથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે કેમ કે, ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો નિવાસ છે જેથી કરીને ગૌસેવા કરવા માટે સીધી કે આડકતરી રીતે મોરબીના ઉદ્યોગકારો અને ગૌપ્રેમીઓ દ્વારા સહકાર આપવામાં આવે જ છે અને ખાસ કરીને મકરસંક્રાંતિના તહેવારો મોરબીમાં પાંજરાપોળ દ્વારા જુદાજુદા સ્થળે સ્ટોલ રાખવામાં આવે છે તેના થકી પાંજરાપોળ માટે એક જ દિવસમાં લાખો રૂપિયાની આવક થાય છે ત્યારે પહેલી વખત દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મોરબી પાંજરાપોળ દ્વારા ફટાકડા પણ ગૌસેવાનું મધ્યમ બને તેના માટે મોરબીમાં શનાળા રોડ, રવાપર ચોકડી અને મહેન્દ્રનગર ચોકડી પાસે ફટાકડાના સ્ટોલ રાખવામા આવેલ છે અને લોકો દ્વારા ત્યાંથી ફટાકડાની ખરીદી કરીને ગૌસેવાના કામમાં સહકાર આપવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટના ઉપપ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (વેલજીભાઇ બોસ)એ જણાવ્યુ હતું કે, પહેલી વખત મોરબી પાંજરાપોળ દ્વારા ફટાકડાના સ્ટોલનું આયોજન કરવામા આવ્યું છે જેમાં લોકો તરફથી અભૂતપૂર્વક સહકાર મળેલ છે અને હજુ પણ આ સ્ટોલ ચાલુ છે ત્યારે લોકોને ગૌસેવાના કામમાં વધુને વધુ સહકાર આપવા માટે અપીલ કરેલ છે






Latest News