મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાંજરાપોળના લાભર્થે ત્રણ જગ્યાએ ફડાકડાના સ્ટોલ: લોકોનો અભૂતપૂર્વક સહકાર


SHARE











મોરબીમાં પાંજરાપોળના લાભર્થે ત્રણ જગ્યાએ ફડાકડાના સ્ટોલ: લોકોનો અભૂતપૂર્વક સહકાર

દર વર્ષે દિવાળીના તહેવાર પર ફટાકડાનું ખૂબ જ વેચાણ થયુ હોય છે અને ફટાકડા ફોડીને લોકો ઉમંગ-ઉત્સાહ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે મોરબીના પાંજરાપોળ દ્વારા મોરબીના શનાળા રોડ, મહેન્દ્રનગર અને રવાપર ચોકડી પાસે ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે અને લોકો ત્યાંથી ફટકડાની ખરીદી કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે

ગાય માતાને સનાતન સંસ્કૃતિમાં કામધેનું કહેવામા આવે અને ગૌમાતાના આશીર્વાદથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે કેમ કે, ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો નિવાસ છે જેથી કરીને ગૌસેવા કરવા માટે સીધી કે આડકતરી રીતે મોરબીના ઉદ્યોગકારો અને ગૌપ્રેમીઓ દ્વારા સહકાર આપવામાં આવે જ છે અને ખાસ કરીને મકરસંક્રાંતિના તહેવારો મોરબીમાં પાંજરાપોળ દ્વારા જુદાજુદા સ્થળે સ્ટોલ રાખવામાં આવે છે તેના થકી પાંજરાપોળ માટે એક જ દિવસમાં લાખો રૂપિયાની આવક થાય છે ત્યારે પહેલી વખત દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મોરબી પાંજરાપોળ દ્વારા ફટાકડા પણ ગૌસેવાનું મધ્યમ બને તેના માટે મોરબીમાં શનાળા રોડ, રવાપર ચોકડી અને મહેન્દ્રનગર ચોકડી પાસે ફટાકડાના સ્ટોલ રાખવામા આવેલ છે અને લોકો દ્વારા ત્યાંથી ફટાકડાની ખરીદી કરીને ગૌસેવાના કામમાં સહકાર આપવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટના ઉપપ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (વેલજીભાઇ બોસ)એ જણાવ્યુ હતું કે, પહેલી વખત મોરબી પાંજરાપોળ દ્વારા ફટાકડાના સ્ટોલનું આયોજન કરવામા આવ્યું છે જેમાં લોકો તરફથી અભૂતપૂર્વક સહકાર મળેલ છે અને હજુ પણ આ સ્ટોલ ચાલુ છે ત્યારે લોકોને ગૌસેવાના કામમાં વધુને વધુ સહકાર આપવા માટે અપીલ કરેલ છે






Latest News