વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ ઉપર વળાંક ન વળતાં બાઈક રેલિંગ સાથે અથડાયું: એકનું મોત, બેને ઇજા
મોરબીના લીલાપર રોડે આડેધડ લીલુઘાસ નાખતા વધુ એક વેપારી સામે નોંધાયો ગુનો
SHARE
મોરબીના લીલાપર રોડે આડેધડ લીલુઘાસ નાખતા વધુ એક વેપારી સામે નોંધાયો ગુનો
મોરબીના લીલાપર રોડ ઉપર જેલથી આગળના ભાગમાં રાહદારી અને વાહન ચાલકોને અડચણ રૂપ થાય તે રીતે અને ગમે ત્યારે જીવલેણ સાબિત થાય તે રીતે આડેધડ લીલું ઘાસ વેપારીઓ દ્વારા નાખવામાં આવે છે જેથી કરીને આવા વેપારીઓની સામે પોલીસે હવે કાર્યવાહી શરૂ કરેલ છે અને તેના ભાગરૂપે વધુ એક વેપારી સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેલ રોડ ઉપર જેલથી આગળના ભાગમાં લીલાઘાસના વાડા બનાવીને ત્યાં વેપારીઓ દ્વારા લીલાઘાસનું વેચાણ કરવામાં આવતું હોય છે જોકે રાહદારી અને વાહન ચાલકોને અડચણરૂપ થાય તે રીતે આડેધડ રોડ સાઈડમાં લીલા ઘાસચારા નાખવામાં આવે છે જેથી કરીને ગાય તથા ખૂંટીયા રોડ વચ્ચે અડિંગો જમાવે છે જેથી ટ્રાફિકની સમસ્યા તેમજ ગમે ત્યારે અકસ્માત થાય તેવી શક્યતા હોય છે માટે આડેધડ લીલા ઘાસચારા ફેકતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વેપારીની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો દરમિયાન આજે વધુ એક વેપારીની સામે ગુનો નોંધવામાં આવે છે જેમાં નંદકિશોરભાઈ ઉર્ફે કાનાભાઈ બાલકૃષ્ણભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૬૫) રહે. દાઉદી પ્લોટ શેરી નં-૫ વાળા લીલૂઘાસ રસ્તા ઉપર નાખીને લોકોને અડચણરૂપ થાય તેમજ ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી બેદરકારી દાખવતા તેની સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે