માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીની શાન સમાન ઝુલતો પુલ બેસતા વર્ષથી પુન: શરૂ થશે : જયસુખભાઈ પટેલ


SHARE













મોરબીની શાન સમાન ઝુલતો પુલ બેસતા વર્ષથી પુન: શરૂ થશે : જયસુખભાઈ પટેલ

વિશ્વમાં એક માત્ર કહી શકાય તેવો ઝૂલતો પુલ મોરબીમાં આવેલ છે અને તેને રીપેરીંગ માટે બંધ કરેલ હતો જેનું રીપેરીંગ કામ પુરુ થતા તેને આગામી બેસતા વર્ષના દિવસથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેના માટે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમા ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે મોરબીના ઝૂલતા પુલ વિશેની માહિતી આપી હતી

મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે અને આ પુલ જર્જરીત હતો માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષે એટલે કે બેસતાવર્ષના દિવસથી ઝુલતા પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી.






Latest News