ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં ટંકારાના નસીતપર ગામે વાડી શ્રમિક યુવાનની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ
Breaking news
Morbi Today

મોરબીની શાન સમાન ઝુલતો પુલ બેસતા વર્ષથી પુન: શરૂ થશે : જયસુખભાઈ પટેલ


SHARE









મોરબીની શાન સમાન ઝુલતો પુલ બેસતા વર્ષથી પુન: શરૂ થશે : જયસુખભાઈ પટેલ

વિશ્વમાં એક માત્ર કહી શકાય તેવો ઝૂલતો પુલ મોરબીમાં આવેલ છે અને તેને રીપેરીંગ માટે બંધ કરેલ હતો જેનું રીપેરીંગ કામ પુરુ થતા તેને આગામી બેસતા વર્ષના દિવસથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેના માટે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમા ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે મોરબીના ઝૂલતા પુલ વિશેની માહિતી આપી હતી

મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે અને આ પુલ જર્જરીત હતો માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષે એટલે કે બેસતાવર્ષના દિવસથી ઝુલતા પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી.






Latest News