મોરબીના મકનસર પાસે સર્જાયેલ જીવલેણ અકસ્માતના બનાવમાં આરોપીની ધરપકડ
મોરબીની શાન સમાન ઝુલતો પુલ બેસતા વર્ષથી પુન: શરૂ થશે : જયસુખભાઈ પટેલ
SHARE
મોરબીની શાન સમાન ઝુલતો પુલ બેસતા વર્ષથી પુન: શરૂ થશે : જયસુખભાઈ પટેલ
વિશ્વમાં એક માત્ર કહી શકાય તેવો ઝૂલતો પુલ મોરબીમાં આવેલ છે અને તેને રીપેરીંગ માટે બંધ કરેલ હતો જેનું રીપેરીંગ કામ પુરુ થતા તેને આગામી બેસતા વર્ષના દિવસથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેના માટે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમા ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે મોરબીના ઝૂલતા પુલ વિશેની માહિતી આપી હતી
મોરબીના રાજવી પરિવાર દ્વારા ઝુલતો પુલ મચ્છુ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો જે સરકાર અને પાલિકા પાસેથી નિભાવ ખર્ચ સહિતની જવાબદારી સાથે ઓરેવા ટ્રસ્ટને આપવામાં આવેલ છે અને આ પુલ જર્જરીત હતો માટે ઝૂલતો પુલ સાત મહિનાથી રીપેરીંગ માટે બંધ હતો જો કે, બે કરોડના ખર્ચે પુલનું રીનોવેશન કાર્ય પૂર્ણ થતાં નુતનવર્ષે એટલે કે બેસતાવર્ષના દિવસથી ઝુલતા પુલને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાત ઓરેવા કંપનીના એમડી જયસુખભાઈ પટેલે કરી હતી.