વાંકાનેરના સરતાનપર પાસે કારખાનામાંથી ગુમ થયેલા યુવાનની લાશ મળી
મોરબીના લખધીરપુર રોડે કારખાનના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત
SHARE
મોરબીના લખધીરપુર રોડે કારખાનના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને તેણે આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રોપોલ ટાઇલ્સ નામના કારખાનામાં મજૂરી કામ કરતો અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતો યુવાન સદ્દામભાઈ ઈકબાલભાઈ ખોખર (ઉંમર ૩૦) પોતાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે કોઈ કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ મૃતકને તેનો ભાઈ શાહરૂખ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ ચાલી રહી છે
યુવાનનું મોત
વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા સુનિલભાઈ વશરામભાઈ ડેડાણીયા જાતે કોળી (૪૭) કોઈ કારણોસર મૃત્યુ પામતા તેના પરિવારજનો તેના ડેડબોડીને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે