મોરબીના લખધીરપુર રોડે કારખાનના કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાત
મોરબીના શનાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
SHARE
મોરબીના શનાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
મોરબી નજીકના સનાળા ગામે મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા વૃદ્ધ સનાળા ગામે આવેલ પાણીના ખાડામાં ડૂબી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગની જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે આવેલ મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા રામસુરભાઈ બીજલભાઇ વાંક જાતે બોરીચા (ઉંમર ૫૫) સનાળા ગામે આવેલ રામજી મંદિરની બાજુમાં પાણીના ખાડામાં ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને વૃધ્ધના મૃતદેહને પાણીના ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે