મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE















મોરબીના શનાળા પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

મોરબી નજીકના સનાળા ગામે મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા વૃદ્ધ સનાળા ગામે આવેલ પાણીના ખાડામાં ડૂબી ગયા હતા જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગની જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના સનાળા ગામે આવેલ મુરલીધર હોટલની પાછળના ભાગમાં રહેતા રામસુરભાઈ બીજલભાઇ વાંક જાતે બોરીચા (ઉંમર ૫૫) સનાળા ગામે આવેલ રામજી મંદિરની બાજુમાં પાણીના ખાડામાં ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને વૃધ્ધના મૃતદેહને પાણીના ખાડામાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News