મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરના વલાસણમાં નજીવી વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ


SHARE















વાંકાનેરના વલાસણમાં નજીવી વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી: સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે નજીકની વાતમાં ભાઈ અને ભત્રીજાઓ વચ્ચે મારામારી થઈ હતી જેથી કરીને ઇજા પામેલા વ્યક્તિઓને સારવારમાં ખસેડાયા હતા અને હાલમાં બંને પક્ષેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા (૬૦) એ હાલમાં તેના ભાઈ રસુલભાઈ અલાઉદીનભાઈ મસાણીયા, સુલતાનભાઈ હુસેનગનીભાઈ મસાણીયા, શાહબુદ્દીનભાઈ ઈસ્માઈલભાઈ મસાણીયા અને અલ્મેજ મહમદભાઈ મસાણીયા રહે. ચારેય વાલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના સગા ભાઈ અને ભત્રીજા દ્વારા તેઓની ભાઈયુ ભાગની મિલકતના ભાગ બટાઈ થઈ ગયેલ છે છતાં પણ એક સંપ કરીને તેઓના નાના ભાઈ અને રસુલભાઈ તથા ફરિયાદીના મોટા ભાઈના દીકરાને આરોપી સુલતાન, શાહબુદ્દીન તેમજ અલ્મેજ દ્વારા ફળિયામાં આવીને પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદી તેને વચ્ચે પડતા તેને પણ માથાને કાનના ભાગે માર માર્યો હતો અને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદી તેમજ સિકંદરભાઈ અબ્દુલભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં અબ્દુલભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી ચારેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

તો સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં દીનારબેન રસુલભાઈ માણસીયા (૨૧) એ હાલમાં મદીનાબેન અબ્દુલભાઈ માણસિયા, રોશનબેન અબ્દુલભાઈ માણસિયા, સિકંદરભાઈ અબ્દુલભાઈ માણસિયા અને અબ્દુલભાઈ અલાઉદ્દીનભાઈ માણસિયા રહે. ચારેય વાલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓની ભેંસ છૂટીને તેના ભેંસના ખીલા પાસે આવી હતી અને ત્યાં ફરિયાદીની ભેંસનો ખીલો તોડાવતા ફરિયાદીની ભેંસ છૂટી જતા આરોપીના ફળિયામાં ગઈ હતી અત્યારે આરોપીએ તેને ગાળો આપીને ઢીકાપાટોનો માર માર્યો હતો તેમજ સિકંદરે લોખંડનું આડુ ફરિયાદીને કેડના ભાગમાં માર્યું હતું જેથી તેને ઈજા થઇ હતી અને ફરિયાદીને સારવારમાં લઈને ગયા હતા ત્યારબાદ તેણે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News