મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના જેલ રોડ ઉપર આડેધડ લીલુઘાસ નાખતા વેપારી સામે ગુનો નોંધાયો


SHARE















મોરબીના જેલ રોડ ઉપર આડેધડ લીલુઘાસ નાખતા વેપારી સામે ગુનો નોંધાયો

મોરબીના ઘણા વિસ્તારોમાં લોકોને અડચણરૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે આડેધડ  વેપારીઓ દ્વારા લીલાઘાસના વાડા બનાવીને ત્યાં રસ્તા ઉપર અને રસ્તાની આસપાસમાં લીલા ઘાસ નાખવામાં આવતા હોય છે જેથી કરીને આવા વેપારીઓની સામે હવે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં બે વેપારીઓ સામે ગુના નોંધાયા બાદ વધુ એક વેપારીની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના લીલાપર રોડ ઉપર જેલથી આગળના ભાગમાં રોડની સાઈડમાં લીલાઘાસના વાડા  રાખીને ત્યારથી લીલાઘાસનું વેચાણ કરતા વેપારીઓ દ્વારા ટ્રાફિકમાં અડચણરૂપ થાય તેમજ અકસ્માત ગમે ત્યારે સર્જાય તે રીતે રોડ સાઈડમાં અને રોડ ઉપર લીલુંઘાસ નાખવામાં આવતું હોય છે જેથી કરીને ૨૪ કલાક ત્યાં રજડતા ઢોર અડીંગો જમાવીને બેસતા હોય છે માટે આવા વેપારીઓની સામે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધવામાં આવી રહ્યા છે અગાઉ બે વેપારીઓની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયા હતા અને દરમિયાન વધુ એક વેપારી આદમભાઈ ઈસ્માઈલભાઈ કુરેશી જાતે મતવા (૬૭) રહે. ઝવેરી શેરી ભોય વાડા ગ્રીનચોક વાળાની સામે ગુનો નોંધીને પોલીસે તેની અટકાયત કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News