મોરબીમાં પથરણા રાખીને વેપાર કરનારા લોકોના પરિવારની દિવાળી સુધારી
Morbi Today
મોરબીમાં સરદાર પટેલ જન્મજ્યંતીની નિમિતે એકતા સાંકળ રચાઈ
SHARE
મોરબીમાં સરદાર પટેલ જન્મજ્યંતીની નિમિતે એકતા સાંકળ રચાઈ
મોરબીમાં ૩૧ ના રોજ ભારતની એકતા અને અખંડીતતાની મિશાલ સરદાર પટેલની જન્મજ્યંતીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે સરકાર દ્વારા તા. ૨૫ થી ૩૧ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અને તેના ભાગ રૂપે એકતા માનવ સાંકળ રચવાનો કાર્યક્રમ આજે મોરબીમાં યોજાયો હતો અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલની પ્રતિમા ફરતે દિનેશભાઈ ગરચર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની આગેવાની હેઠળ પ્રાણજીવનભાઈ વિડજા મણિલાલ સરડવા, અંબરીશભાઈ વ્યાસ, હિતેશભાઈ ગાંભવા, અશ્વિનભાઈ વગેરે શિક્ષકો, તલાટીઓ અન્ય કર્મચારીઓ અને નગરજનોએ એકમેકના હાથ પકડી એકતા માનવ સાંકળ રચી એકતાના દર્શન કરાવ્યા હતા.









