Morbi Today
મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડની પથરી ફેરવવાનું તંત્ર કયારે બંધ કરશે ?
SHARE
મોરબીમાં એલ.ઇ. ગ્રાઉન્ડની પથરી ફેરવવાનું તંત્ર કયારે બંધ કરશે ?
મોરબીમાં યુવાનોને રમવા માટે અને આર્મી તેમજ પોલીસ વિભાગની ભરતી માટે તૈયારીઓ કરવા એક જ એલ.ઇ. ગ્રાઉન્ડ મેદાન છે અને ત્યાં અવાર નવાર સરકારી મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી કરીને મેદાનની પથરી ફરી જાય છે તાજેતરમાં જે મેળો યોજાયો હતો ત્યાર બાદ મેદાનમાં ચોમેર ગંદકી કરવામાં આવી છે અને યુવાનો ત્યાં રમી કે ભરતી માટેની તૈયારીઓ ન કરી શકે તેવી પરિસ્થિતી ઊભી થયેલ છે ત્યારે સરકારી પોગ્રામ કરીને મેદાનની વારંવાર પથરી ફેરવવાનું તંત્ર દ્વારા બંધ કરવામાં આવે તે જરૂરી છે તેવી જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે









