માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર રિક્ષા ચાલકે સાયકલને હડફેટ લેતા વૃદ્ધનું મોત


SHARE













મોરબીના પંચાસર રોડ ઉપર રિક્ષા ચાલકે સાયકલને હડફેટ લેતા વૃદ્ધનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર બોખાની વાડી પાસેથી સાયકલ લઈને પસાર થતા વૃદ્ધની સાયકલને રિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર કપોરીની વાડી માં રહેતા કાંતિભાઈ કરસનભાઈ ડાભી જાતે સતવારા ઉંમર વર્ષ ૩૭ એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૫૩૬ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા બોખાની વાડી પાસેથી પોતાની સાયકલ લઈને જતા હતા ત્યારે ફરિયાદીના પિતા કરશનભાઈ ઉંમર ૭૧ ને સાયકલને રીક્ષા ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં કરસનભાઈ ને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યુ હતુ હાલમાં મૃતક વૃદ્ધના દીકરા કાંતિભાઈએ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વેપારી સામે ગુનો નોંધાયો 

મોરબીના લીલાપર રોડ ઉપર જેલ ચોકથી આગળના ભાગમાં જેલ પાસે ઘાસના વાળા રાખીને ત્યાં આડેધડ ઘાસ નાખતા વેપારીઓ સામે પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ત્રણ જેટલા વેપારીઓ સામે ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે ત્યારે આજે વધુ એક વેપારી સામે આડેધડ ઘાસ નાખીને ટ્રાફિક તથા અકસ્માત સર્જાય તેવી બેદરકારી વેપારી રાજુભાઈ હરખાભાઈ માજુસા જાતે કોળી ઉંમર વર્ષ ૪૦ રહેવા શેરી નંબર દસ વાળા ની સામે ગુનો નોંધવામાં આવ્યો છે






Latest News