મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઉપર રિક્ષા ચાલકે સાયકલને હડફેટ લેતા વૃદ્ધનું મોત


SHARE









મોરબીના પંચાસર રોડ ઉપર રિક્ષા ચાલકે સાયકલને હડફેટ લેતા વૃદ્ધનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર બોખાની વાડી પાસેથી સાયકલ લઈને પસાર થતા વૃદ્ધની સાયકલને રિક્ષા ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર કપોરીની વાડી માં રહેતા કાંતિભાઈ કરસનભાઈ ડાભી જાતે સતવારા ઉંમર વર્ષ ૩૭ એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિક્ષા નંબર જીજે ૩૬ યુ ૭૫૩૬ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેના પિતા બોખાની વાડી પાસેથી પોતાની સાયકલ લઈને જતા હતા ત્યારે ફરિયાદીના પિતા કરશનભાઈ ઉંમર ૭૧ ને સાયકલને રીક્ષા ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં કરસનભાઈ ને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યુ હતુ હાલમાં મૃતક વૃદ્ધના દીકરા કાંતિભાઈએ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વેપારી સામે ગુનો નોંધાયો 

મોરબીના લીલાપર રોડ ઉપર જેલ ચોકથી આગળના ભાગમાં જેલ પાસે ઘાસના વાળા રાખીને ત્યાં આડેધડ ઘાસ નાખતા વેપારીઓ સામે પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં ત્રણ જેટલા વેપારીઓ સામે ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે ત્યારે આજે વધુ એક વેપારી સામે આડેધડ ઘાસ નાખીને ટ્રાફિક તથા અકસ્માત સર્જાય તેવી બેદરકારી વેપારી રાજુભાઈ હરખાભાઈ માજુસા જાતે કોળી ઉંમર વર્ષ ૪૦ રહેવા શેરી નંબર દસ વાળા ની સામે ગુનો નોંધવામાં આવ્યો છે






Latest News