મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક અકસ્માત સર્જીને ચાર વ્યક્તિના મોત નિપજાવનારા ટ્રાવેલ્સ ચાલકની ધરપકડ


SHARE







માળીયા (મી) નજીક અકસ્માત સર્જીને ચાર વ્યક્તિના મોત નિપજાવનારા ટ્રાવેલ્સ ચાલકની ધરપકડ

માળીયા મીયાણાના હરિપર ગામની ગોળાઈ પાસે ગઈકાલે અશોક લેલન ટેમ્પો ખાનગી બસ સાથે અથડાતા ત્રણ મહિલાઓ સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે હાલમાં ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ જિલ્લાના પીઠડીયા ગામના રહેવાસી હસમુખભાઈ દામજીભાઈ ગોંડલીયા (૫૨) એ ખાનગી ટ્રાવેલ્સ બસ નંબર એ.આર. ૧ ટી ૮૨૯૮ ના ચાલક ગોગારામ ભવારારામ ઝાખડ રહે. રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે મોરબીથી કચ્છ તરફ જતા રસ્તા ઉપર આવતા હરીપર ગામની ગોળાઇ પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ હોય રોડની એક સાઇડ બંધ હતી અને એક જ સાઈડમાં સામસામા વાહનોની અવરજવર ચાલુ હતી ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રાવેલ્સ બસ બેફિકરાઈથી અને સ્પીડમાં ચલાવીને અશોક લેલન ટેમ્પો નંબર જીજે ૧૪ ડબલ્યુ ૫૫૧૬ સાથે અથડાવી હતી જેથી કરીને અશોક લેલન ટેમ્પો બેઠેલા વ્યક્તિઓમાંથી ચંદાબેન વિપુલભાઈ ગોંડલીયા, શારદાબેન ઉર્ફે ઝીણીબેન છગનભાઈ ગોંડલીયા, નાથીબેન દેવરાજભાઈ અને દીપકભાઈ મનુભાઈ જીંજવાડીયાના મોત નીપજ્યા હતા અને અન્ય છ વ્યક્તિઓને ઈજા થયો હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં હસમુખભાઈ ગોંડલીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સના ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News