ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક અકસ્માત સર્જીને ચાર વ્યક્તિના મોત નિપજાવનારા ટ્રાવેલ્સ ચાલકની ધરપકડ


SHARE













માળીયા (મી) નજીક અકસ્માત સર્જીને ચાર વ્યક્તિના મોત નિપજાવનારા ટ્રાવેલ્સ ચાલકની ધરપકડ

માળીયા મીયાણાના હરિપર ગામની ગોળાઈ પાસે ગઈકાલે અશોક લેલન ટેમ્પો ખાનગી બસ સાથે અથડાતા ત્રણ મહિલાઓ સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે હાલમાં ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ જિલ્લાના પીઠડીયા ગામના રહેવાસી હસમુખભાઈ દામજીભાઈ ગોંડલીયા (૫૨) એ ખાનગી ટ્રાવેલ્સ બસ નંબર એ.આર. ૧ ટી ૮૨૯૮ ના ચાલક ગોગારામ ભવારારામ ઝાખડ રહે. રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે મોરબીથી કચ્છ તરફ જતા રસ્તા ઉપર આવતા હરીપર ગામની ગોળાઇ પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ હોય રોડની એક સાઇડ બંધ હતી અને એક જ સાઈડમાં સામસામા વાહનોની અવરજવર ચાલુ હતી ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રાવેલ્સ બસ બેફિકરાઈથી અને સ્પીડમાં ચલાવીને અશોક લેલન ટેમ્પો નંબર જીજે ૧૪ ડબલ્યુ ૫૫૧૬ સાથે અથડાવી હતી જેથી કરીને અશોક લેલન ટેમ્પો બેઠેલા વ્યક્તિઓમાંથી ચંદાબેન વિપુલભાઈ ગોંડલીયા, શારદાબેન ઉર્ફે ઝીણીબેન છગનભાઈ ગોંડલીયા, નાથીબેન દેવરાજભાઈ અને દીપકભાઈ મનુભાઈ જીંજવાડીયાના મોત નીપજ્યા હતા અને અન્ય છ વ્યક્તિઓને ઈજા થયો હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં હસમુખભાઈ ગોંડલીયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સના ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News