માળીયા (મી) નજીક અકસ્માત સર્જીને ચાર વ્યક્તિના મોત નિપજાવનારા ટ્રાવેલ્સ ચાલકની ધરપકડ
વાંકાનેરમાં પુલ ઉપરથી ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત
SHARE
વાંકાનેરમાં પુલ ઉપરથી ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત
વાંકાનેર શહેરમાં સ્ટેચ્યુ ચોક પાસે આવેલા પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો દીકરો વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં પાંજરાપોળવાળી શેરીમાં રહેતા વ્રજલાલભાઈ કાનજીભાઈ રાઠોડ (૬૫) એ વાંકાનેરના સ્ટેચ્યુ ચેક પાસે આવેલ પુલ ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતકના દીકરા હિતેશભાઈ તેની ડેડબોડીને લઈને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી