વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઈશુદાન ગઢવીની હાજરીમાં કાલે યોજાશે તિરંગા યાત્રા: બગથળા અને ચરાડવામાં જન સંપર્ક


SHARE











આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જુદા જુદા જિલ્લા અને તાલુકા ની અંદર જન સંપર્ક કરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં આવતીકાલે ઈશુદાન ગઢવી આવી રહ્યા છે અને ત્યારે તે જુદા જુદા વિસ્તારોની અંદર આવેલ મંદિરો ખાતે દેવ દર્શન કરવા માટે જશે તેની સાથોસાથ તિરંગા યાત્રામાં પણ તે હાજરી આપશે અને મોરબીના બગથળા તથા હળવદના ચરાડવા ગામે તેની હાજરીમાં જન સંવાદનો કાર્યક્રમ યોજાશે

આમ આદમી પાર્ટીના લોકલાડીલા નેતા ઇસુદાન ગઢવી કાલે મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સવારે ૯ વાગ્યે જલારામબાપાના મંદિર ખાતે દર્શન (અયોધ્યા પુરી મેઈન રોડ, મોરબી), સવારે ૯:૩૦ રોહિદાસ પરા, વિસી ફાટક, મોરબી ખાતે ડોર ટુ ડોર, સવારે ૧૦:૩૦ રામજી મંદિર દર્શન-દરબાર ગઢ મોરબી, સવારે ૧૦:૪૫ ત્રિરંગા યાત્રા દરબાર ગઢ થી જુના બસ સ્ટેન્ડ, સાંજે ૫ વાગ્યે બગથળામાં જનસંવાદ અને સાંજે ૬ વાગ્યે ચરાડવામાં જનસંવાદ યોજાશે






Latest News