હળવદ તાલુકાના ટીકર ગામ પાસે નદીના પટમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં પુરુષની લાશ મળી
મોરબીમાં ઈશુદાન ગઢવીની હાજરીમાં કાલે યોજાશે તિરંગા યાત્રા: બગથળા અને ચરાડવામાં જન સંપર્ક
SHARE
આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જુદા જુદા જિલ્લા અને તાલુકા ની અંદર જન સંપર્ક કરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં આવતીકાલે ઈશુદાન ગઢવી આવી રહ્યા છે અને ત્યારે તે જુદા જુદા વિસ્તારોની અંદર આવેલ મંદિરો ખાતે દેવ દર્શન કરવા માટે જશે તેની સાથોસાથ તિરંગા યાત્રામાં પણ તે હાજરી આપશે અને મોરબીના બગથળા તથા હળવદના ચરાડવા ગામે તેની હાજરીમાં જન સંવાદનો કાર્યક્રમ યોજાશે
આમ આદમી પાર્ટીના લોકલાડીલા નેતા ઇસુદાન ગઢવી કાલે મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સવારે ૯ વાગ્યે જલારામબાપાના મંદિર ખાતે દર્શન (અયોધ્યા પુરી મેઈન રોડ, મોરબી), સવારે ૯:૩૦ રોહિદાસ પરા, વિસી ફાટક, મોરબી ખાતે ડોર ટુ ડોર, સવારે ૧૦:૩૦ રામજી મંદિર દર્શન-દરબાર ગઢ મોરબી, સવારે ૧૦:૪૫ ત્રિરંગા યાત્રા દરબાર ગઢ થી જુના બસ સ્ટેન્ડ, સાંજે ૫ વાગ્યે બગથળામાં જનસંવાદ અને સાંજે ૬ વાગ્યે ચરાડવામાં જનસંવાદ યોજાશે









