મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જુદા જુદા મંદિરોમાં દિવેલ માટે 72 મણ શુદ્ધ ઘી અર્પણ કરાયું
SHARE
મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા મંદિરોમાં દિવેલ માટે 72 મણ ઘી અર્પણ કરવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે જુદા જુદા મંદિરોમાં 72 મણ શુદ્ધ ઘી આપવામાં આવ્યું છે
મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના કાળ દરમિયાન મોરબી પંથકમાં અવસાન પામેલા લોકોના મોક્ષર્થે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ રક્તદાન કેમ્પ યોજાયો હતો અને નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિન નિમિતે ગાયોને શુદ્ધ ઘીમાંથી બનેલ 72 મણ સુખડી આપવા માટેનો સંકલ્પ કર્યો હતો જો કે 108 મણ કરતાં વધુ સુખડી ગાયોને કાંતિભાઈ અમૃતિયા તથા તેના પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તેઓએ મોરબી અને આસપાસના વિસ્તારની અંદર આવેલા મંદિરોમાં દિવેલ માટે થઈને શુદ્ધ ઘી આપવા માટેનો સંકલ્પ કર્યો હતો જેના ભાગરૂપે 72 મણ શુદ્ધ ઘી જુદા જુદા મંદિરોમાં આપવામાં આવ્યું છે તેવું કાંતિભાઈ અમૃતિયાના દીકરા પ્રથમભાઈ અમૃતિયાએ જણાવ્યું છે