મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું ભારે કરી: મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના ભરેલા 30 બાટલાની ચોરી મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા વૃદ્ધને કમર-ગોળામાં ફ્રેકચર વાંકાનેરના કલાવડી ગામે વાડીના રસ્તા ઉપરથી પથ્થર ઉપાડવા બાબતે વૃદ્ધને તેના સગા ભાઈ સહિત 3 લોકોને પથ્થરના છૂટા ઘા માર્યા હળવદના પ્રતાપગઢ ગામનો બનાવ: છૂટાછેડા થઈ ગયા બાદ મહિલાને તેડી જવા આવેલ પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો, ઇજાગ્રસ્ત પિતા-ભાભી સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જુદા જુદા મંદિરોમાં દિવેલ માટે 72 મણ શુદ્ધ ઘી અર્પણ કરાયું


SHARE









મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને તેના પરિવાર દ્વારા મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા મંદિરોમાં દિવેલ માટે 72 મણ ઘી અર્પણ કરવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે જુદા જુદા મંદિરોમાં 72 મણ શુદ્ધ ઘી આપવામાં આવ્યું છે

મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના કાળ દરમિયાન મોરબી પંથકમાં અવસાન પામેલા લોકોના મોક્ષર્થે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથોસાથ રક્તદાન કેમ્પ યોજાયો હતો અને નરેન્દ્ર મોદીના 72 માં જન્મદિન નિમિતે ગાયોને શુદ્ધ ઘીમાંથી બનેલ 72 મણ સુખડી આપવા માટેનો સંકલ્પ કર્યો હતો જો કે 108 મણ કરતાં વધુ સુખડી ગાયોને કાંતિભાઈ અમૃતિયા તથા તેના પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તેઓએ મોરબી અને આસપાસના વિસ્તારની અંદર આવેલા મંદિરોમાં દિવેલ માટે થઈને શુદ્ધ ઘી આપવા માટેનો સંકલ્પ કર્યો હતો જેના ભાગરૂપે 72 મણ શુદ્ધ ઘી જુદા જુદા મંદિરોમાં આપવામાં આવ્યું છે તેવું કાંતિભાઈ અમૃતિયાના દીકરા પ્રથમભાઈ અમૃતિયાએ જણાવ્યું છે






Latest News