મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર અને મોરબીના લીલાપર- સરદારનગરમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા નાટકો યોજાશે


SHARE













ટંકારાના નસીતપર અને મોરબીના લીલાપર- સરદારનગરમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા નાટકો યોજાશે

ટંકારાના નસીતપર ગામે ગૌશાળાના લાભાર્થે તા ૧/૧૧ ને મંગળવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે ઐતિહાસિક નાટક અને કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને નસીતપરના શ્રી મારૂતિ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે શ્રી જય અંબે ગૌસેવા યુવક મંડળ રાજપર (કું) દ્વારા ઐતિહાસિક નાટક રાનવઘણ યાને આહીરની ઉદારતા અને કોમેડી નાટક દિકરો દયારામ રજૂ કરવામાં આવશે જેથી લોકોને આ નાટક નિહાળવા અને ગૌસેવાના કાર્યમાં સહભાગી બનવા માટે મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામે અનુરોધ કર્યો છે.

ગૌશાળાના લાભાર્થે

મોરબીમાં અભિલાષા ગૌસેવા યુવક મંડળ ટ્રસ્ટ બગથળાના નેજા હેઠળ ગૌશાળાના લાભાર્થે તા ૩૧ ને સોમવારે રાત્રે સરદાર નગર સોસાયટી- ૧/૨ કન્યા છાત્રાલય મેઈન રોડ રાધે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં નાટકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરદાર નગર સોસાયટી દ્વારા આયોજિત નાટકમાં શેણી વિજાણંદ યાને કે બાળપણની પ્રીત તેમજ કોમેડી નાટક કડવી ડોશીનો ઘર સંસાર રજૂ કરવામાં આવશે જેથી કરીને તેને નિહાળવા લોકોને આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

બજરંગ યુવક મંડળ

મોરબીના લીલાપર ગામે બજરંગ યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ગૌસેવા માટે યોજતું આ નાટક તા. ૧ નવેમ્બરને મંગળવારે રાત્રે ૯ કલાકે લીલપર ગામે રામજી ચોક યોજાશે જેમાં કલાકારો દ્વારા નાગમતી નાગવાળો નાટક ભજવવામાં આવશે તેની સાથે કોમેડી નાટક જેઠાલાલની જમાવટ પણ રજૂ કરશે જેથી કરીને લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોકરેલ છે

- te






Latest News