મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પરિવારની દીકરીની સગાઈ છૂટી કરવાની વાત આવતા ચિત્રોડી ગામે વાડીની ઓરડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર અને મોરબીના લીલાપર- સરદારનગરમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા નાટકો યોજાશે


SHARE













ટંકારાના નસીતપર અને મોરબીના લીલાપર- સરદારનગરમાં ગૌશાળાના લાભાર્થે જુદાજુદા નાટકો યોજાશે

ટંકારાના નસીતપર ગામે ગૌશાળાના લાભાર્થે તા ૧/૧૧ ને મંગળવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે ઐતિહાસિક નાટક અને કોમિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને નસીતપરના શ્રી મારૂતિ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે શ્રી જય અંબે ગૌસેવા યુવક મંડળ રાજપર (કું) દ્વારા ઐતિહાસિક નાટક રાનવઘણ યાને આહીરની ઉદારતા અને કોમેડી નાટક દિકરો દયારામ રજૂ કરવામાં આવશે જેથી લોકોને આ નાટક નિહાળવા અને ગૌસેવાના કાર્યમાં સહભાગી બનવા માટે મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામે અનુરોધ કર્યો છે.

ગૌશાળાના લાભાર્થે

મોરબીમાં અભિલાષા ગૌસેવા યુવક મંડળ ટ્રસ્ટ બગથળાના નેજા હેઠળ ગૌશાળાના લાભાર્થે તા ૩૧ ને સોમવારે રાત્રે સરદાર નગર સોસાયટી- ૧/૨ કન્યા છાત્રાલય મેઈન રોડ રાધે ક્રિષ્ના સ્કૂલની બાજુમાં નાટકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરદાર નગર સોસાયટી દ્વારા આયોજિત નાટકમાં શેણી વિજાણંદ યાને કે બાળપણની પ્રીત તેમજ કોમેડી નાટક કડવી ડોશીનો ઘર સંસાર રજૂ કરવામાં આવશે જેથી કરીને તેને નિહાળવા લોકોને આયોજકો દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

બજરંગ યુવક મંડળ

મોરબીના લીલાપર ગામે બજરંગ યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને ગૌસેવા માટે યોજતું આ નાટક તા. ૧ નવેમ્બરને મંગળવારે રાત્રે ૯ કલાકે લીલપર ગામે રામજી ચોક યોજાશે જેમાં કલાકારો દ્વારા નાગમતી નાગવાળો નાટક ભજવવામાં આવશે તેની સાથે કોમેડી નાટક જેઠાલાલની જમાવટ પણ રજૂ કરશે જેથી કરીને લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોકરેલ છે

- te






Latest News