મોરબીમાં ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ અને મેનજમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ અને મેનજમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો
મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડતા અંદાજે ૧૩૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે જેથી કરીને આ બનાવમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ કરનાર અને મેનજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ છે અને મોરબી સીટી બી ડીવિઝન પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે
મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પ્રકાશભાઇ અંબારામભાઇ દેકાવાડીયાએ ઝૂલતા પુલ મેન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે, ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર તા.૩૦ ના રોજ સાંજના ૬:૩૦ કલાકના અરસામાં તુટી જતા આશરે ૫૦ થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ છે તથા આશરે ૧૫૦ થી વધુ વ્યકિતઓને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હતી અત્રે ઉલેખનીય છે કે, આ ફરિયાદ નોંધાઈ ત્યારે પણ નદીમાંથી ડેડ બોડી બહાર કાઢવામાં આવી રહી હતી જેથી કરીને અત્યાર સુધી મૃત્યુનો આંક વધીને ૧૩૨ થઈ ગયેલ છે આ કેસની તપાસ નાયબ જિલ્લા પોલીસ વડા પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.