વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ અને મેનજમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ અને મેનજમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો

મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડતા અંદાજે ૧૩૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે જેથી કરીને આ બનાવમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ કરનાર અને મેનજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ છે અને મોરબી સીટી બી ડીવિઝન પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પ્રકાશભાઇ અંબારામભાઇ દેકાવાડીયાએ ઝૂલતા પુલ મેન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે, ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર તા.૩૦ ના રોજ સાંજના ૬:૩૦ કલાકના અરસામાં તુટી જતા આશરે ૫૦ થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ છે તથા આશરે ૧૫૦ થી વધુ વ્યકિતઓને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હતી અત્રે ઉલેખનીય છે કે, આ ફરિયાદ નોંધાઈ ત્યારે પણ નદીમાંથી ડેડ બોડી બહાર કાઢવામાં આવી રહી હતી જેથી કરીને અત્યાર સુધી મૃત્યુનો આંક વધીને ૧૩૨ થઈ ગયેલ છે આ કેસની તપાસ નાયબ જિલ્લા પોલીસ વડા પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.

મોરબી બાર એસો.નો સ્નેહમિલન કાર્યક્રમ રદ
 
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુ:ખદ દુર્ઘટનાને અનુલક્ષીને મોરબી બાર એસોસિયેશનનુ તા.૧-૧૧ ના રોજ રાખેલ સ્નેહ મીલનનો કાર્યક્રમ સંજોગ વસાત રદ રાખવામાં આવેલ છે.જેની તમામ વકીલોને મોરબી બાર એસોસિયેશન દ્રારા જાણ કરવામાં આવેલ 





Latest News