મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ અને મેનજમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ અને મેનજમેન્ટ કરનાર સામે ગુનો નોંધાયો

મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ તૂટી પડતા અંદાજે ૧૩૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે જેથી કરીને આ બનાવમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા ઝૂલતા પુલનું મેઇન્ટનન્સ કરનાર અને મેનજમેન્ટ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવેલ છે અને મોરબી સીટી બી ડીવિઝન પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે

મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પ્રકાશભાઇ અંબારામભાઇ દેકાવાડીયાએ ઝૂલતા પુલ મેન્ટેનન્સ કરનાર અને મેનેજમેન્ટ કરનાર એજન્સી તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે આઇપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે, ઝુલતો પુલ કે જે યોગ્ય સમારકામ અને મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટના અભાવે યાંત્રીક ખામી કે અન્ય કોઇ કારણોસર તા.૩૦ ના રોજ સાંજના ૬:૩૦ કલાકના અરસામાં તુટી જતા આશરે ૫૦ થી વધુ લોકોના મૃત્યુ નીપજેલ છે તથા આશરે ૧૫૦ થી વધુ વ્યકિતઓને નાની મોટી ગંભીર તથા સામાન્ય ઈજાઓ થયેલ હતી અત્રે ઉલેખનીય છે કે, આ ફરિયાદ નોંધાઈ ત્યારે પણ નદીમાંથી ડેડ બોડી બહાર કાઢવામાં આવી રહી હતી જેથી કરીને અત્યાર સુધી મૃત્યુનો આંક વધીને ૧૩૨ થઈ ગયેલ છે આ કેસની તપાસ નાયબ જિલ્લા પોલીસ વડા પી.એ.ઝાલા ચલાવી રહ્યા છે.

મોરબી બાર એસો.નો સ્નેહમિલન કાર્યક્રમ રદ
 
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુ:ખદ દુર્ઘટનાને અનુલક્ષીને મોરબી બાર એસોસિયેશનનુ તા.૧-૧૧ ના રોજ રાખેલ સ્નેહ મીલનનો કાર્યક્રમ સંજોગ વસાત રદ રાખવામાં આવેલ છે.જેની તમામ વકીલોને મોરબી બાર એસોસિયેશન દ્રારા જાણ કરવામાં આવેલ 





Latest News