મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં જુલતા પુલની ઘટનામાં ભોગ બનેલ અનાથ બાળકોને તેમજ વિધવા બહેનોને સિરામિક એસોસિએશન સહયોગ આપશે, ટીકરની ટીમે રંગ રાખ્યો


SHARE





મોરબીમાં જુલતા પુલની ઘટનામાં ભોગ બનેલ અનાથ બાળકોને તેમજ વિધવા બહેનોને સિરામિક એસોસિએશન સહયોગ આપશે, ટીકરની ટીમે રંગ રાખ્યો

મોરબીમાં ઝુલતાપુલ તૂટવાની ઘટનાને પગલે હાલમાં સ્ત્રી-પુરુષો અને બાળકો મળીને અંદાજે ૧૫૦ જેટલા લોકોના મોત નીપજયા હોવાનો પ્રાથમિક અહેવાલ સાંપળી રહ્યો છે દરમિયાનમાં મોરબીમાં સતત મોરબીવાસીઓની પડખે હુફ બનીને સાથે ઉભા રહેતા સીરામીક એસોસીએશન અને સીરામીક પરિવાર દ્વારા અતિ સંવેદનશીલ જાહેરાત કરવામાં આવેલી છે જેમાં જે કોઈ બાળકો અનાથ બન્યા હોય તેવા બાળકો અને જે કોઈ મહિલાએ આ ગોજારી ઘટનામાં પોતાનો પતિ ગુમાવ્યો હોય તો આવા વિધવા બહેનોને તમામ પ્રકારની આર્થિક અને અન્ય જરૂરી સહાય કરવાની પહેલ મોરબીના સીરામીક ઉદ્યોગના એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી છે. મોરબી ઝુલતા પુલની અત્યંત કરુણાજનક દુખદ દુધઁટનામા મૃતક પામેલ પરિવારમા કોઈ બાળકે તેમના માતા પિતાને ગુમાવેલ હોય તેવા અનાથ બાળકોને તેમજ કોઈ વિઘવા બનેલ બહેનોને મોરબી સીરામીક એસો. તેમજ તેના ઉઘોઁગકારો શિક્ષણ તેમજ જરુરી અન્ય સહાય કરશે તેવું જાહેર કરાયેલ છે. તેમજ મોરબીમાં બનેલી ગોજારી ઝુલતા પુલની દુર્ઘટનામાં હળવદ તાલુકાનાં ટીકર (રણ) ની સેવાભાવી ટિમના નીલેશભાઇ એરવાડીયા, ગણેશભાઈ સીતાપરા, ધર્મેન્દ્રભાઇ એરવાડીયા, નરેન્દ્રભાઇ દેથરીયા, ભુપતભાઇ ઠાકોર તેમજ સર્વે સમાજ ટીકરની ટીમે ૨૪ કલાક ખડેપગે રહી કોઈપણ સાધન સામગ્રી વગર મચ્છુ નદીમાં ડૂબીઓ મારીને મૃત્યુ પામેલ મૃતદેહો કાઢવામાં એનડીઆરએફ ની ટિમ તેમજ મોરબી સીરામીક એશોસીયેસનના સભ્યો, આર્ટ ઓફ લીવીંગના સેવકો હાર્દિકભાઇ ભાલોડીયા, મલયભાઇ ટીલવા, હિતેશભાઇ, બંસીભાઇ સાથે ખભેખભો મિલાવીને ફુડપેકેટ, લાઇટ તેમજ તમામ પ્રકારની મદદ કરી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડેલ છે.




Latest News