મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ પદે નરેન્દ્રભાઈ સંઘાત વિજેતા: ચોમેરથી આવકાર મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણીને જાનથી મારી નાખવાની ધમકી દેવાના ગુનામાં 5 પૈકીનાં 3 આરોપી ઝડપાયા મોરબીમાં કમલમ ખાતે વિવિધ મોરચાના હોદ્દેદારોનો અભિવાદન સમારોહ યોજાયો મોરબીમાં શિવ અંજની કોર્પોરેશન હાઉસના સફાઈ કામ કરતાં સમયે પાંચમા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુલતા પુલની ઘટનામાં ભોગ બનેલ અનાથ બાળકોને તેમજ વિધવા બહેનોને સિરામિક એસોસિએશન સહયોગ આપશે, ટીકરની ટીમે રંગ રાખ્યો


SHARE











મોરબીમાં જુલતા પુલની ઘટનામાં ભોગ બનેલ અનાથ બાળકોને તેમજ વિધવા બહેનોને સિરામિક એસોસિએશન સહયોગ આપશે, ટીકરની ટીમે રંગ રાખ્યો

મોરબીમાં ઝુલતાપુલ તૂટવાની ઘટનાને પગલે હાલમાં સ્ત્રી-પુરુષો અને બાળકો મળીને અંદાજે ૧૫૦ જેટલા લોકોના મોત નીપજયા હોવાનો પ્રાથમિક અહેવાલ સાંપળી રહ્યો છે દરમિયાનમાં મોરબીમાં સતત મોરબીવાસીઓની પડખે હુફ બનીને સાથે ઉભા રહેતા સીરામીક એસોસીએશન અને સીરામીક પરિવાર દ્વારા અતિ સંવેદનશીલ જાહેરાત કરવામાં આવેલી છે જેમાં જે કોઈ બાળકો અનાથ બન્યા હોય તેવા બાળકો અને જે કોઈ મહિલાએ આ ગોજારી ઘટનામાં પોતાનો પતિ ગુમાવ્યો હોય તો આવા વિધવા બહેનોને તમામ પ્રકારની આર્થિક અને અન્ય જરૂરી સહાય કરવાની પહેલ મોરબીના સીરામીક ઉદ્યોગના એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી છે. મોરબી ઝુલતા પુલની અત્યંત કરુણાજનક દુખદ દુધઁટનામા મૃતક પામેલ પરિવારમા કોઈ બાળકે તેમના માતા પિતાને ગુમાવેલ હોય તેવા અનાથ બાળકોને તેમજ કોઈ વિઘવા બનેલ બહેનોને મોરબી સીરામીક એસો. તેમજ તેના ઉઘોઁગકારો શિક્ષણ તેમજ જરુરી અન્ય સહાય કરશે તેવું જાહેર કરાયેલ છે. તેમજ મોરબીમાં બનેલી ગોજારી ઝુલતા પુલની દુર્ઘટનામાં હળવદ તાલુકાનાં ટીકર (રણ) ની સેવાભાવી ટિમના નીલેશભાઇ એરવાડીયા, ગણેશભાઈ સીતાપરા, ધર્મેન્દ્રભાઇ એરવાડીયા, નરેન્દ્રભાઇ દેથરીયા, ભુપતભાઇ ઠાકોર તેમજ સર્વે સમાજ ટીકરની ટીમે ૨૪ કલાક ખડેપગે રહી કોઈપણ સાધન સામગ્રી વગર મચ્છુ નદીમાં ડૂબીઓ મારીને મૃત્યુ પામેલ મૃતદેહો કાઢવામાં એનડીઆરએફ ની ટિમ તેમજ મોરબી સીરામીક એશોસીયેસનના સભ્યો, આર્ટ ઓફ લીવીંગના સેવકો હાર્દિકભાઇ ભાલોડીયા, મલયભાઇ ટીલવા, હિતેશભાઇ, બંસીભાઇ સાથે ખભેખભો મિલાવીને ફુડપેકેટ, લાઇટ તેમજ તમામ પ્રકારની મદદ કરી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડેલ છે.






Latest News