મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં જુલતા પુલની ઘટનામાં ભોગ બનેલ અનાથ બાળકોને તેમજ વિધવા બહેનોને સિરામિક એસોસિએશન સહયોગ આપશે, ટીકરની ટીમે રંગ રાખ્યો


SHARE









મોરબીમાં જુલતા પુલની ઘટનામાં ભોગ બનેલ અનાથ બાળકોને તેમજ વિધવા બહેનોને સિરામિક એસોસિએશન સહયોગ આપશે, ટીકરની ટીમે રંગ રાખ્યો

મોરબીમાં ઝુલતાપુલ તૂટવાની ઘટનાને પગલે હાલમાં સ્ત્રી-પુરુષો અને બાળકો મળીને અંદાજે ૧૫૦ જેટલા લોકોના મોત નીપજયા હોવાનો પ્રાથમિક અહેવાલ સાંપળી રહ્યો છે દરમિયાનમાં મોરબીમાં સતત મોરબીવાસીઓની પડખે હુફ બનીને સાથે ઉભા રહેતા સીરામીક એસોસીએશન અને સીરામીક પરિવાર દ્વારા અતિ સંવેદનશીલ જાહેરાત કરવામાં આવેલી છે જેમાં જે કોઈ બાળકો અનાથ બન્યા હોય તેવા બાળકો અને જે કોઈ મહિલાએ આ ગોજારી ઘટનામાં પોતાનો પતિ ગુમાવ્યો હોય તો આવા વિધવા બહેનોને તમામ પ્રકારની આર્થિક અને અન્ય જરૂરી સહાય કરવાની પહેલ મોરબીના સીરામીક ઉદ્યોગના એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવેલી છે. મોરબી ઝુલતા પુલની અત્યંત કરુણાજનક દુખદ દુધઁટનામા મૃતક પામેલ પરિવારમા કોઈ બાળકે તેમના માતા પિતાને ગુમાવેલ હોય તેવા અનાથ બાળકોને તેમજ કોઈ વિઘવા બનેલ બહેનોને મોરબી સીરામીક એસો. તેમજ તેના ઉઘોઁગકારો શિક્ષણ તેમજ જરુરી અન્ય સહાય કરશે તેવું જાહેર કરાયેલ છે. તેમજ મોરબીમાં બનેલી ગોજારી ઝુલતા પુલની દુર્ઘટનામાં હળવદ તાલુકાનાં ટીકર (રણ) ની સેવાભાવી ટિમના નીલેશભાઇ એરવાડીયા, ગણેશભાઈ સીતાપરા, ધર્મેન્દ્રભાઇ એરવાડીયા, નરેન્દ્રભાઇ દેથરીયા, ભુપતભાઇ ઠાકોર તેમજ સર્વે સમાજ ટીકરની ટીમે ૨૪ કલાક ખડેપગે રહી કોઈપણ સાધન સામગ્રી વગર મચ્છુ નદીમાં ડૂબીઓ મારીને મૃત્યુ પામેલ મૃતદેહો કાઢવામાં એનડીઆરએફ ની ટિમ તેમજ મોરબી સીરામીક એશોસીયેસનના સભ્યો, આર્ટ ઓફ લીવીંગના સેવકો હાર્દિકભાઇ ભાલોડીયા, મલયભાઇ ટીલવા, હિતેશભાઇ, બંસીભાઇ સાથે ખભેખભો મિલાવીને ફુડપેકેટ, લાઇટ તેમજ તમામ પ્રકારની મદદ કરી માનવ સેવાનું ઉદાહરણ પૂરું પાડેલ છે.






Latest News