મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના એક જ પરિવારના ત્રણ કંધોતરના ગોજારી ઘટનામાં થયા કમોત


SHARE











મોરબીના એક જ પરિવારના ત્રણ કંધોતરના ગોજારી ઘટનામાં થયા કમોત

મોરબીના સામાંકાંઠે નઝરબાગ રેલ્વે સ્ટેશન પાછળ ગાંધી સોસાયટીની બાજુમાં આવેલ બૌદ્ધનગરમાં રહેતા અને મજૂરી કરીને પેટીયું રળતા રાજેશભાઇ મૂછડિયાના ત્રણ પુત્રો ચિરાગભાઈ રાજેશભાઇ મૂછડિયા (ઉ.વ.૨૦), ધાર્મિક રાજેશભાઈ મૂછડિયા (ઉ.વ.૧૮) અને ચેતન રાજેશભાઇ મૂછડિયા (ઉ.વ.૧૬) એમ ત્રણને એકીસાથે મોત બોલાવતું હોય તેમ ત્રણેય સગા ભાઈ ઝૂલતાપૂલે ફરવા ગયા હતા. ત્યારે આ પુલ તૂટતા ત્રણેય ભાઈઓ સૌની સાથે નીચે નદીમાં ખબકયા હતા અને ત્રણેય ભાઈઓના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા.બીજી બાજુ પુત્રો મોડે સુધી ઘરે પરત ન આવતા અને પુલ તૂટ્યાની જાણ થતાં તેના માતા-પિતા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ મચ્છુ નદીમાંથી વારાફરતી ત્રણેય પુત્રોની લાશ હાથ લાગતા જ માતા-પિતાના આક્રંદે વાતાવરણને ગમગીન કરી મૂક્યું હતું. જો કે મોટા બે પુત્રો ચિરાગ અને ધાર્મિક ઇલેક્ટ્રિકનું કામ શીખીને પગભર થવાની મહેનત કરતા હતા.જ્યારે સૌથી નાનો પુત્ર ચેતન ધો.૧૦ માં ભણતો હતો. આમ એક જ પરિવારમાંથી ત્રણ કંધોતરના મોત નીપજતા સમગ્ર મુછળીયા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.




Latest News