મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં નિર્દોષોના મોત માટે જવાબદાર નગરપાલિકાના અઘિકારી અને પદાધિકારી અને કંપનીના માલિક સામે ફરિયાદ નોંધો : મહેશ રાજ્યગુરુ


SHARE









મોરબીમાં નિર્દોષોના મોત માટે જવાબદાર નગરપાલિકાના અઘિકારી અને પદાધિકારી અને કંપનીના માલિક સામે ફરિયાદ નોંધો : મહેશ રાજ્યગુરુ

મોરબી ભાજપ શાસિત નગરપાલિકા અને ઓરેવા ટ્રસ્ટની બેદરકારીના લીધે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હોય તેવું લાગી રહ્યું છે.તા.૩૦ રવિવારના સાંજના સમયે અચાનક જૂલતા પૂલ તૂટવાના કારણે સેંકડો લોકો મોતને ભેટયા છે ત્યારે જવાબદાર અધિકારી અને ભાજપ શાસિત નગરપાલિકાના પદાધિકારી અને અઘિકારીઓને આમાં સીધા જવાબદાર છે ત્યારે આ ઘટનાના જવાબદાર લોકોને સરકાર છાવરવા માંગતી હોય તેમ લાગી રહ્યું છે તેઓ આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલ છે.

સરકાર જો જવાબદારોને છાવરવા માંગતી ન હોય તો આ જવાબદાર ઓરેવા ટ્રસ્ટ, પાલિકાના પદાધિકારી અને અઘિકારી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે કારણ પાલિકા એટલા માટે જવાબદાર છે કે ઝૂલતો પૂલ કંપનીને આપવાનો જે કરાર થયેલ છે તેમાં સહી કરનાર ચીફ ઓફિસર અને પદાધિકારીઓએ નિયમ બનાવી નિયમ મુજબ ચલાવવાનો કરાર કરવામાં આવેલ છે તેમાં તમામ જવાબદાર પદાધિકારીએ સહી સિક્કા કરેલ છે સાથે ચીફ ઓફિસરના પણ સહી સિક્કા છે પણ જે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમા બેદરકારી દર્શાવનારના નામ નથી તો કરાર કરનાર તમામના ફરિયાદમાં નામ દાખલ કરવા જોઇએ તેમ જણાવેલ છે.મળતી માહિતી મુજબ ફરિયાદમાં કયાય નગર પાલિકાના અઘિકારી કે પદાધિકારી કે કંપનીના માલિકના નામ ફરિયાદમાં લખવામાં આવેલ નથી તો શું આ બઘાને સરકાર છાવરવા માંગે છે ?

પાલિકાના જવાબદાર લોકો આ ગોઝારી ઘટનામાં દોષીતો કેહવાય કેમ કે મોરબી નગરપાલિકાએ અને ઓરેવા કંપની સાથે કરાર કરેલ અને કરારમાં પાલિકાના ચીફ ઓફિસર અને પદાધિકારીઓએ સહી સિક્કા કરી આ આ પૂલ સોંપવામાં આવેલ છે તો પૂલ ચાલુ થયો તે પાલિકાને ખબર જ ન હોય તેવું માનવું  કેટલી અંસે વ્યાજબી છે ? ભાજપ શાસિત નગરપાલિકા અને કલેક્ટર એ આ જુલતાપુલ તૂટવાની જવાબદારી લેવી જોઈએ.નગરપાલિકા અને કંપનીની બેદરકારીને કારણે આ ઘટના બની હોય તેવી વાતો જણાવવા મળે છે અને  નિર્દોષ લોકોએ પોતાના જાન ગુમાવેલ છે ત્યારે આ બાબતે પ્રજાના ન્યાયના હિતમાં પાલિકાના કરારમાં સહી કરનાર અને આ ઘટના સાથે  સંકળાયેલ બેજવાબદાર લોકો જે કોઇ હોય તેમની જવાબદારી બનતી હોય તેની સામે તાત્કાલિક અસરથી કડકમાં કડક  કાર્યવાહી કરવી જોઈએ અને હાઇકોર્ટના જજની રાહબરીમાં તપાસ કરવામાં આવે તો જ સત્યતા બહાર આવશે એવું લોકો માની રહ્યા છે ત્યારે ગંભીરતાથી સત્યતા બહાર લાવવા તમામ પ્રયત્નો કરી જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરી આવી ઘટના ફરી ન બને તેવો દાખલો બેસાડવો જોઈએ. તેવી મોરબી જિલ્લાની પ્રજાની લાગણી અને માંગણી છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરુએ જણાવે છે.






Latest News