મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્દ્ધાંજલિ પાઠવતા સાંસદ વિનોદભાઈ ચાવડા
SHARE
મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્દ્ધાંજલિ પાઠવતા સાંસદ વિનોદભાઈ ચાવડા
મોરબીમાં ઝુલતા પૂલની સર્જાયેલી દુર્ઘટના હદયદ્રાવ્યક હતી દુર્ઘટનાનાં સમાચાર મળતા
સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઘડીનો પણ વિલંબ
કર્યા વગર મોરબી પહોંચી બચાવ અને સેવા કાર્યોમાં જોડાયા હતા.
આ ઘટનાને દુઃખદ ગણાવતા મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વતા પાઠવી
હતી. હોસ્પિટલમાં ભાજપા સતાધીશો તથા પધાધિકારીઓ સાથે ઉપસ્થિત રહી ઘાયલોને થતી
સારવારની સમીક્ષા કરી હતી.બચાવ કાર્યમાં જોડાયેલા મોરબી નગરજનો તથા પ્રવાશીઓ
તાત્કાલિક બચાવ કાર્ય થકી ઘણા લોકોને જીવનદાન મળ્યું હતું તેમ જણાવતા સાંસદે પૂલ
દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોની આત્માને ભારે હદય શ્રધ્દ્ધાંજલિ પાઠવી હતી. અને
મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.









