મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા ટંકારાના ભૂતકોટડાથી ચોટીલા પૂનમ ભરવા માટે જતા બે યુવાનોના બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત: બંને ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ મૃતકોના વારસદારોને 4 લાખની સહાય ચુકવાઈ


SHARE









મોરબી પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ મૃતકોના વારસદારોને 4 લાખની સહાય ચુકવાઈ

બે લોકો હજુ લાપતા: 169ને બચાવાયા તેમાંથી 152ને હોસ્પીટલમાંથી રજા, 17 સારવારમાં

મોરબીમાં સર્જાયેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં બચાવ ઓપરેશન પૂર્ણ થઈ જ ગયુ છે છતાં બે લોકો લાપતા હોવાથી તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. બીજી તરફ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ હતભાગીઓના પરિવારોને સહાયની રકમ ચુકવી દેવામાં આવી છે.રાજયના મહેસુલ વિભાગ હેઠળની રાહત કમિશ્ર્નર કચેરી દ્વારા જાહેર કરાયેલી સતાવાર વિગતો મુજબ મુંબઈ દુર્ઘટનાનો મૃત્યુઆંક 135 થયો છે જયારે 169 લોકો ઘાયલ થયા હતા તે પૈકીના 152 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે જયારે હજુ 17 લોકો સારવાર હેઠળ છે. બે લોકો લાપતા હોવાથી તેમને શોધવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સવારથી એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતાવાર વિગતો પ્રમાણે 135માંથી 134 મૃતકોના વારસદારોને ચાર-ચાર લાખની સહાયની રકમ ચુકવી દેવામાં આવી છે.

એક મૃતક પશ્ચિમ બંગાળના હોવાથી તેમના વારસદારોની ખરાઈની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હબીબ ઉલ એસ.કે.મહેસૂદ શેખ નામના આ મૃતકના મૃતદેહને ગઈકાલે જ હવાઈ માર્ગે વતન મોકલી દેવામાં આવ્યો હતો અને ગઈરાત્રે જ દફનવિધિ કરી દેવામાં આવી હતી. દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ 135 મૃતકોની અંતિમવિધિ ગઈકાલે જ થઈ ગઈ છે. સતાવાર રીતે જણાવાયા પ્રમાણે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ વહીવટીતંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.






Latest News