મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ મૃતકોના વારસદારોને 4 લાખની સહાય ચુકવાઈ


SHARE





મોરબી પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ મૃતકોના વારસદારોને 4 લાખની સહાય ચુકવાઈ

બે લોકો હજુ લાપતા: 169ને બચાવાયા તેમાંથી 152ને હોસ્પીટલમાંથી રજા, 17 સારવારમાં

મોરબીમાં સર્જાયેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં બચાવ ઓપરેશન પૂર્ણ થઈ જ ગયુ છે છતાં બે લોકો લાપતા હોવાથી તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. બીજી તરફ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ હતભાગીઓના પરિવારોને સહાયની રકમ ચુકવી દેવામાં આવી છે.રાજયના મહેસુલ વિભાગ હેઠળની રાહત કમિશ્ર્નર કચેરી દ્વારા જાહેર કરાયેલી સતાવાર વિગતો મુજબ મુંબઈ દુર્ઘટનાનો મૃત્યુઆંક 135 થયો છે જયારે 169 લોકો ઘાયલ થયા હતા તે પૈકીના 152 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે જયારે હજુ 17 લોકો સારવાર હેઠળ છે. બે લોકો લાપતા હોવાથી તેમને શોધવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સવારથી એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતાવાર વિગતો પ્રમાણે 135માંથી 134 મૃતકોના વારસદારોને ચાર-ચાર લાખની સહાયની રકમ ચુકવી દેવામાં આવી છે.

એક મૃતક પશ્ચિમ બંગાળના હોવાથી તેમના વારસદારોની ખરાઈની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હબીબ ઉલ એસ.કે.મહેસૂદ શેખ નામના આ મૃતકના મૃતદેહને ગઈકાલે જ હવાઈ માર્ગે વતન મોકલી દેવામાં આવ્યો હતો અને ગઈરાત્રે જ દફનવિધિ કરી દેવામાં આવી હતી. દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ 135 મૃતકોની અંતિમવિધિ ગઈકાલે જ થઈ ગઈ છે. સતાવાર રીતે જણાવાયા પ્રમાણે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ વહીવટીતંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.




Latest News