મોરબી ઝુલતા પૂલ દુર્ઘટનાનાં મૃતકોને શ્રધ્દ્ધાંજલિ પાઠવતા સાંસદ વિનોદભાઈ ચાવડા
મોરબી પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ મૃતકોના વારસદારોને 4 લાખની સહાય ચુકવાઈ
SHARE
મોરબી પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ મૃતકોના વારસદારોને 4 લાખની સહાય ચુકવાઈ
બે લોકો હજુ લાપતા: 169ને બચાવાયા તેમાંથી 152ને હોસ્પીટલમાંથી રજા, 17 સારવારમાં
મોરબીમાં સર્જાયેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં બચાવ ઓપરેશન પૂર્ણ થઈ જ ગયુ છે છતાં બે લોકો લાપતા હોવાથી તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. બીજી તરફ દુર્ઘટનામાં ભોગ બનેલા તમામ હતભાગીઓના પરિવારોને સહાયની રકમ ચુકવી દેવામાં આવી છે.રાજયના મહેસુલ વિભાગ હેઠળની રાહત કમિશ્ર્નર કચેરી દ્વારા જાહેર કરાયેલી સતાવાર વિગતો મુજબ મુંબઈ દુર્ઘટનાનો મૃત્યુઆંક 135 થયો છે જયારે 169 લોકો ઘાયલ થયા હતા તે પૈકીના 152 લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે જયારે હજુ 17 લોકો સારવાર હેઠળ છે. બે લોકો લાપતા હોવાથી તેમને શોધવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સવારથી એનડીઆરએફની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સતાવાર વિગતો પ્રમાણે 135માંથી 134 મૃતકોના વારસદારોને ચાર-ચાર લાખની સહાયની રકમ ચુકવી દેવામાં આવી છે.
એક મૃતક પશ્ચિમ બંગાળના હોવાથી તેમના વારસદારોની ખરાઈની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હબીબ ઉલ એસ.કે.મહેસૂદ શેખ નામના આ મૃતકના મૃતદેહને ગઈકાલે જ હવાઈ માર્ગે વતન મોકલી દેવામાં આવ્યો હતો અને ગઈરાત્રે જ દફનવિધિ કરી દેવામાં આવી હતી. દુર્ઘટનામાં મોતને ભેટેલા તમામ 135 મૃતકોની અંતિમવિધિ ગઈકાલે જ થઈ ગઈ છે. સતાવાર રીતે જણાવાયા પ્રમાણે વડાપ્રધાન તથા મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ વહીવટીતંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.