મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી : ટંકારના જબલપુરના બોડા પરિવારની ચાર પરિણીત દિકરી, ત્રણ જમાઇ અને પાંચ ભાણેજોની જીવનદોર એકસાથે કપાઈ


SHARE













મોરબી : ટંકારના જબલપુરના બોડા પરિવારની ચાર પરિણીત દિકરી, ત્રણ જમાઇ અને પાંચ ભાણેજો મળી ૧૨ ની જીવનદોર એકસાથે કપાઈ

મોરબીની પુલ દુર્ઘટનામાં સાંસદ મોહનભાઇ કુંડારીયાના 12 પરિવારજનોએ જીવ ગુમાવતા ટંકારા પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. બોડા પરિવાર પર વજ્રઘાત થયો છે.મોરબી ખાતે થયેલ ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં જબલપુરના પરિવાર ઉપર આભ તુંટ્યું છે. ચાર-પરણિત દીકરીઓ ત્રણ જમાઈ અને પાંચ ભાણેજ મૃત્યુ પામ્યા છે. જબલપુર ગામના વતની સુંદરજીભાઈ પરસોતમભાઈ બોડા પરિવાર ઉપર ભારે કરૂણાંતીકા સર્જાયેલ છે તેમના ઉપર કુદરતનો કાળો કોપ થયેલ છે. 


મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં બોડા પરીવારની ચાર પરણિત દીકરીઓ ત્રણ જમાઈ અને પાંચ ભાણેજના કરુણ મૃત્યુ થયેલ છે. બોડા પરિવારના કુટુંબીજનો જ નહી પરંતુ સમગ્ર જબલપુર ગામ હિબકે ચડ્યું છે. સમગ્ર ગ્રામજનો ભારે આક્રંદ કરી રડી રહેલ છે. બનાવને જાણ થાય ત્યારથી લોકો રડી રહેલ છે.મૃતકોમાં દીકરીઓ ઈલાબેન મહેશભાઈ છત્રોલા(રોહીશાળા), ધારાબેન હરેશભાઈ અમૃતિયા(ખાનપર), શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા (કેરાળા) અને એકતાબેન ચિરાગભાઈ જીવાણી (ખાનપર) તેમજ જમાઈ મહેશકુમાર નાગજીભાઈ છત્રોલા (રોહીશાળા), હરેશભાઈ માવજીભાઈ અમૃતિયા (ખાનપર) અને ભાવિક કાંતિલાલ દેત્રોજા (કેરાળા) તેમજ ભાણેજ નૈતિક મહેશભાઈ છત્રોલા-રોહીશાળા, જૈનવી હરેશભાઈ અમૃતિયા-ખાનપર, ભૂમિ હરેશભાઈ અમૃતિયા-ખાનપર, કુંજલ શૈલેષભાઈ રૈયાણી-ખાનપર અને આરવ ભાવિક દેત્રોજા-કેરાળા મળી કુલ ૧૨ વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયેલા છે.
 




Latest News