મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી : ટંકારના જબલપુરના બોડા પરિવારની ચાર પરિણીત દિકરી, ત્રણ જમાઇ અને પાંચ ભાણેજોની જીવનદોર એકસાથે કપાઈ


SHARE





મોરબી : ટંકારના જબલપુરના બોડા પરિવારની ચાર પરિણીત દિકરી, ત્રણ જમાઇ અને પાંચ ભાણેજો મળી ૧૨ ની જીવનદોર એકસાથે કપાઈ

મોરબીની પુલ દુર્ઘટનામાં સાંસદ મોહનભાઇ કુંડારીયાના 12 પરિવારજનોએ જીવ ગુમાવતા ટંકારા પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. બોડા પરિવાર પર વજ્રઘાત થયો છે.મોરબી ખાતે થયેલ ઝૂલતા પુલની ગોઝારી ઘટનામાં જબલપુરના પરિવાર ઉપર આભ તુંટ્યું છે. ચાર-પરણિત દીકરીઓ ત્રણ જમાઈ અને પાંચ ભાણેજ મૃત્યુ પામ્યા છે. જબલપુર ગામના વતની સુંદરજીભાઈ પરસોતમભાઈ બોડા પરિવાર ઉપર ભારે કરૂણાંતીકા સર્જાયેલ છે તેમના ઉપર કુદરતનો કાળો કોપ થયેલ છે. 


મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં બોડા પરીવારની ચાર પરણિત દીકરીઓ ત્રણ જમાઈ અને પાંચ ભાણેજના કરુણ મૃત્યુ થયેલ છે. બોડા પરિવારના કુટુંબીજનો જ નહી પરંતુ સમગ્ર જબલપુર ગામ હિબકે ચડ્યું છે. સમગ્ર ગ્રામજનો ભારે આક્રંદ કરી રડી રહેલ છે. બનાવને જાણ થાય ત્યારથી લોકો રડી રહેલ છે.મૃતકોમાં દીકરીઓ ઈલાબેન મહેશભાઈ છત્રોલા(રોહીશાળા), ધારાબેન હરેશભાઈ અમૃતિયા(ખાનપર), શ્રુતિબેન ભાવિકભાઈ દેત્રોજા (કેરાળા) અને એકતાબેન ચિરાગભાઈ જીવાણી (ખાનપર) તેમજ જમાઈ મહેશકુમાર નાગજીભાઈ છત્રોલા (રોહીશાળા), હરેશભાઈ માવજીભાઈ અમૃતિયા (ખાનપર) અને ભાવિક કાંતિલાલ દેત્રોજા (કેરાળા) તેમજ ભાણેજ નૈતિક મહેશભાઈ છત્રોલા-રોહીશાળા, જૈનવી હરેશભાઈ અમૃતિયા-ખાનપર, ભૂમિ હરેશભાઈ અમૃતિયા-ખાનપર, કુંજલ શૈલેષભાઈ રૈયાણી-ખાનપર અને આરવ ભાવિક દેત્રોજા-કેરાળા મળી કુલ ૧૨ વ્યક્તિઓના કરૂણ મૃત્યુ થયેલા છે.
 




Latest News