કેવી કરૂણતા : મોરબી ઝુલતાપુલ : ચાર લાખની સહાય સ્વીકારે તે પહેલા પતિ પણ અનંતની યાત્રાએ
SHARE
કેવી કરૂણતા : મોરબી ઝુલતાપુલ : ચાર લાખની સહાય સ્વીકારે તે પહેલા પતિ પણ અનંતની યાત્રાએ
મોરબીની ઝુલતાપુલ દુર્ઘટનામાં 135 વ્યકિત ઓના મોતે થતા દેશેભરમાં હાહાકાર મચી જવા પામેલ છે. જેમાં રાજકોટ જિલ્લાની 13 વ્યકિતઓનો ભોગ લેવાયો છે. આ ઘટનાએ ભારે કરૂણાંતિકા સર્જી દીધી છે.આ કરૂણાંતિકામાં મરનાર હતભાગીઓના વારસદારો માટે મુખ્યમંત્રીના રાહત ફંડ માંથી 4-4 લાખ અને વડાપ્રધાન રાહતફંડ માંથી 2-2 લાખની સહાય જાહેર કરાયેલ જે માંથી મુખ્યમંત્રી રાહત ફંડની 4-4 લાખની સહાય ગઈકાલે સાંજે જ મરનારના વારસદારોને ચુકવી દેવામાં આવી છે. જેમાં વધુ એક કરૂણ ઘટના ઘટી છે.
જેમા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાના મૃત્યુઆંકનો આંકડો ગઈકાલે 12 નો બહાર આવ્યો હતો આ 12 વ્યકિતઓના વારસદારોના નામથી મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી મોરબી જિલ્લા કલેકટરની સહીથી ગઈ કાલેજ ચેક ઈશ્યુ કરી દેવામાં આવેલ આ એક મૃતકોના વારસદારોને પહોંચાડવાની જવાબદારી મહેસુલી કર્મચારીઓને સોંપાયેલ હતી અને આ ચેક સાંજના 5 વાગ્યા સુધી મૃતકોના વારસદારોને પહોંચાડી દેવા જણાવાયેલ હતું.
આ દુર્ઘટનામાં શહેરની રાજકોટની અંબિકા ટાઉન શીપમાં મીરાબેન ઝાલાવડીયા મૃત્યુ પામેલ હોય તેમના વારસદાર તરીકે તેમના પતિ હર્ષભાઈ ઝાલાવડીયાના નામનો ચેક ઈશ્યુ કરાયો હતો. આ ચેક લઈને રેવન્યુ કર્મચારી હર્ષભાઈ ઝાલાવડીયાને આપવા જતાં હર્ષભાઈ ઝાલાવડીયાનું પણ દોશી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયાના સમાચાર મળતા મહેસુલી કર્મચારીને પરત ફરવું પડયું હતું અને ચેક હવે તેમના પિતાના નામનો કઢાવા માટે ફરી મોરબી જિલ્લા કલેકટરને મોકલવામાં આવેલ છે આ દંપતીના હજુ ત્રણ માસ પહેલા જ લગ્ન થયાનું ખુલ્યું છે. મોરબીની આ દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાના મોતને ભેટેલા 13 હતભાગીઓના વારસ દારોને ચેક આપવા માટે મહેસુલી કર્મચારીઓ તેઓના ઘેર જતા કર્મચારીઓ કરૂણતા જોઈ ભાવુક બની ગયા હતાં.