મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના બાદ વહીવટી તંત્રે લીધો મહત્વનો નિર્ણય
SHARE
મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના બાદ વહીવટી તંત્રે લીધો મહત્વનો નિર્ણય
મોરબીના ઐતિહાસિક ઝુલતા પુલ તૂટી પડતા અને તેમાં અનેક લોકોના મૃત્યુ થતા સરકાર સફાળી જાગી છે અને દ્વારકા સહિત અમદાવાદ સહિતના આવા બ્રીજ પર નિયંત્રણો લાદી દીધા છે જેના ભાગ રૂપે અમદાવાદમાં પણ તાજેતરમાં નિર્માણ પામેલા અટલ ફુટ બ્રીજ પર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ દ્વારા એક સાથે અનેક લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
જેના પગલે હવે મર્યાદીત સંખ્યામાં પ્રવાસીઓ અટલબ્રિજ પર જઈ શકશે એટલે કે દર કલાકે 3 હજાર લોકો જ આ બ્રિજ પર જઈ શકશે. સોમવાર સાંજથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડવાની અને તેમાં 134થી વધુ લોકોની મૃત્યુ પામવાની ઘટના છતાં રવિવારે સાંજે અટલબ્રિજ પર હજારો લોકો ઉમટી પડયા હતા
અને ફુટ ઓવર બ્રીજ પર વચ્ચેના ભાગે લગાવવામાં આવેલ કાચ પર ભય વિના લોકો ફોટા પડાવી રહ્યા હતા. કાચની રેલીંગ પાસે પણ સેલ્ફી લઈ રહ્યા હતા. મોરબી જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ દ્વારા આ ફુટ ઓવર બ્રીજ પર એક સાથે વધુ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.