મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના બાદ વહીવટી તંત્રે લીધો મહત્વનો નિર્ણય


SHARE













મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના બાદ વહીવટી તંત્રે લીધો મહત્વનો નિર્ણય

મોરબીના ઐતિહાસિક ઝુલતા પુલ તૂટી પડતા અને તેમાં અનેક લોકોના મૃત્યુ થતા સરકાર સફાળી જાગી છે અને દ્વારકા સહિત અમદાવાદ સહિતના આવા બ્રીજ પર નિયંત્રણો લાદી દીધા છે જેના ભાગ રૂપે અમદાવાદમાં પણ તાજેતરમાં નિર્માણ પામેલા અટલ ફુટ બ્રીજ પર સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમીટેડ દ્વારા એક સાથે અનેક લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.

જેના પગલે હવે મર્યાદીત સંખ્યામાં પ્રવાસીઓ અટલબ્રિજ પર જઈ શકશે એટલે કે દર કલાકે 3 હજાર લોકો જ આ બ્રિજ પર જઈ શકશે. સોમવાર સાંજથી જ આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝુલતા પુલ તૂટી પડવાની અને તેમાં 134થી વધુ લોકોની મૃત્યુ પામવાની ઘટના છતાં રવિવારે સાંજે અટલબ્રિજ પર હજારો લોકો ઉમટી પડયા હતા

અને ફુટ ઓવર બ્રીજ પર વચ્ચેના ભાગે લગાવવામાં આવેલ કાચ પર ભય વિના લોકો ફોટા પડાવી રહ્યા હતા. કાચની રેલીંગ પાસે પણ સેલ્ફી લઈ રહ્યા હતા. મોરબી જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સાબરમતી રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લીમીટેડ દ્વારા આ ફુટ ઓવર બ્રીજ પર એક સાથે વધુ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.




Latest News