માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી દારૂ અને બિયરની 19,068 બોટલ ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા, મુખ્ય સપ્લાયર સહિત 9 સામે ગુનો નોંધાયો મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મોટી ઘટના બન્યા બાદ તેના ગાંધીનગરમાં પડતા હોય છે પડઘા


SHARE













મોરબીમાં મોટી ઘટના બન્યા બાદ તેના ગાંધીનગરમાં પડતા હોય છે પડઘા

જ્યારે પણ મોરબીમાં કોઈ મોટી ઘટના બને છે ત્યારબાદ ગાંધીનગરમાં ઉથલપાથલ થતી હોય છે અને તેના અગાઉ પણ પુરાવા.જોવા મળ્યા છે. મોરબીએ જુદીજુદી ત્રણ મોટી હોનારતો જોઈ છે જેમાં મચ્છુજળ હોનારત, ધરતીકંપ હોનારત અને ત્યારબાદ આ મચ્છુ જુલતાપુલ તુટી પડવાની ઘટના. તમામમાં ઊડીને આંખે વળગે તેવી સામાન્ય બાબત જોઈએ તો જ્યારે પણ મોરબીમાં કોય મોટી ઘટના બને છે ત્યારબાદ તેના સીધા પડઘા ગાંધીનગર સુધી પડતા હોય તેવું જોવા મળ્યું છે. જેમાં અગાઉ જ્યારે ૧૯૭૯ માં પુર હોનારતની ઘટના બની હતી તે સમય બાદ સરકારમાં પરિવર્તન આવ્યું હતું અને ત્યારબાદ ૨૦૦૧ માં આવેલ ભૂકંપ બાદ સત્તા પરિવર્તન થયું હતું જેથી આ જુલતાપુલની ઘટના બાદ હવે શું થશે..? આ મુદ્દે મોરબીવાસીઓમાં ચર્ચા જોવા મળી રહી છે.

મોરબીની આનબાન અને સાન સમાન જગ વિખ્યાત એવો ઝૂલતો પુલ ગત તારીખ ૩૦-૧૦-૨૨ ને રવિવારના રોજ સાંજના સાડા છ વાગ્યાના સમયે તૂટી પડ્યો હતો. મોટી સંખ્યામાં પુલ ઉપર લોકોની એકી સાથે હાજરી તે એકમાત્ર કારણે આ પુલ તૂટવાનું હાલ ઉડીને આખે વળગે છે.(ટેકનીકલ કારણ જે સામે આવે તે.) કારણ કે પુલને મજબૂતી બાબતે આપણે શંકા ન કરી શકીએ પરંતુ ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટ તંત્ર દ્વારા વધુ સંખ્યામાં લોકોને પુલ ઉપર જવા દેવા માટે આપવામાં આવેલી છુટ અને બેદરકાર લોકોએ પોતાની જાત કે પરિવારનો વિચાર કર્યા વિના એકી સાથે મોટી સંખ્યામાં પુલ ઉપર કરેલો વિહાર તેઓ માટે અંતિમ વિહાર બની ગયો હતો અને વધુ સંખ્યામાં પુલ ઉપર લોકોની એકી સાથે હાજરી અને તેમાં પણ તીખડખોરો દ્વારા પુલને ઝુલાવવામાં આવતો હોય આ બાબત પુલ તૂટવાની ઘટનામાં સૌથી મોટી જવાબદાર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ એક એવી પણ વાત સામે આવી રહી છે કે જ્યારે પણ મોરબીમાં કોઇ મોટી ઘટના બને છે ત્યારે તેના સીધા પડઘા ગાંધીનગરમાં પડતા હોય છે. એટલે કે જ્યારે મોરબીમાં ૧૯૭૯ માં મચ્છુ જળ હોનારતની ઘટના બની ત્યારે તેના પડઘા ગાંધીનગરમાં પડ્યા હતા અને બાદમાં જ્યારે ૨૦૦૧ નો ભૂકંપ આવ્યો ત્યારબાદ પણ ગાંધીનગરમાં તેના પડઘા પડ્યા હતા અને હાલ આજે જ્યારે આ મચ્છુ નદી ઉપર બનેલ ઝુલતા પુલના તૂટી પડવાથી જે દુર્ઘટના બની છે તેને લઈને પણ મોરબીમાં અનેક તર્ક વીતર્કો ચાલી રહ્યા છે કે આજે પુલની ઘટના બન્યા બાદ હવે ગાંધીનગરમાં શું ફેર બદલી થશે..? જવાબદારીનું ઠીકરૂ કોની ઉપર ફોડવામાં આવશે.






Latest News